નાણા મંત્રી કનુ દેસાઇએ બજેટમાં ‘ઘરનું ઘર’ સ્વપ્નને પરિપૂર્ણ કરવા મોટી જાહેરાત કરી

  • February 20, 2025 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણા મંત્રી કનુ દેસાઇએ આજે વિધાનસભામાં બજેટ રજુ કર્યું છે. જેમાં નાણા મંત્રી કનુ દેસાઇએ ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં ‘ઘરનું ઘર’ સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની રૂ. ૧ લાખ ૨૦ હજાર ની સહાયમાં મકાનદીઠ રૂ. ૫૦ હજારના માતબર વધારા સાથે રૂ. ૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરું છું.


નાણામંત્રીએ કહ્યું કે પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ એ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. તેઓએ કહ્યું કે પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે ૨૧% ના વધારા સાથેની અંદાજીત ₹૮૨૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application