લીંબડી પાસે રાજકોટના સોની વેપારી અશ્વિનભાઈ પોપટભાઈ આડેસરા(ઉ.વ ૬૦) એ આપઘાત આપઘાત કર્યાના પ્રકરણમાં હવે મારામારીની ઘટના બની છે. પ્રહલાદ પ્લોટ માં વેપારીના ઘરે પોલીસ તપાસ માટે ગઇ હતી ત્યારે આપઘાત કરનારના પુત્ર સહિતનાએ હત્પમલો કર્યેા હતો.જે અંગે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે તો સામાપક્ષે પણ છ શખ્સો વિદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ મારામારીમાં પાંચને ઇજા પહોંચી હતી.
જાણવા મળતી વિગતો મુજબ શહેરના પ્રહલાદ પ્લોટ શેરી નંબર ૪૯ માં રહેતા સોની વેપારીના પત્ની દર્શનાબેન ધર્મેશભાઈ પારેખ (ઉ.વ ૪૦) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિરેન અશ્વિનભાઈ આડેસરા, તેજસ વિનોદભાઈ આડેસરા, જયશ્રીબેન તુષારભાઈ રાણપરા, તુષાર રાણપરા અને તુષારના બંને દીકરા તથા બે અજાણ્યા શખસોના નામ આપવામાં આવ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી તથા તેના પરિવારજનો તેમના પતિ વિદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદને લઈ પતિને પોલીસ લઈ ગઈ હોય અને આજરોજ રાતે પતિ પરત ઘરે આવતા આવ્યા હતા.દરમિયાન કોઈ ઘરનો ડેલો ખખડાવતો હોય જેથી બહાર જઈ જોતા એ ડિવિઝન પોલીસ આવી હોય પોલીસે પૂછયું હતું કે અતુલભાઇ ઘરે છે જેથી મહિલાએ કહ્યું હતું કે અતુલભાઇ ઘરે નથી. દરમિયાન ડેલા પાસે હિરેન આડેસરા ઉભો હોય અને બાદમાં ઘરમાં આવવાનો પ્રયાસ કરતા તેને અંદર આવવાની ના કહેતા હિરેન ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગી જાપટો મારવા લાગ્યો હતો. બાદમાં તેજસ આડેસરા આવ્યો હતો અને તે પણ બોલાચાલી કરવા લાગ્યો હતો તેમજ ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. દરમિયાન તેજસની બહેન જયશ્રી તેનો બનેવી તુષાર અને તેના બંને દીકરા તથા બે અજાણ્યા શખસો પણ અહીં આવ્યા હતા જેના હાથમાં લાકડીઓ હોય બોલાચાલી કરી ફરિયાદીના પતિ ધર્મેશભાઈ તથા તેના પુત્ર સુજલ અને આર્યન તથા નણંદના પતિ ક્રિશ્ચન ભાઈ સાથે તેમજ પતિના મિત્ર પારસભાઈ સાથે પણ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ સમયે ફરિયાદીના પતિએ પોલીસ કંટ્રોલ મમાં જાણ કરી દેતા આ શખ્સો અહીંથી જતા રહ્યા હતા. આ મારામારીમાં ફરિયાદીને તથા તેમના નણદં જીજ્ઞાબેન અને તેના પુત્ર સુજલને ઈજા પહોંચી હોય તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા બાદમાં તેમણે આ ફરિયાદ નોંધાવી છે.
યારે સામાપક્ષે તેજસ વિનોદરાય આડેસરા (રહે. શ્રમજીવી સોસાયટી શેરી નંબર ૫) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેશ ભરતભાઈ પારેખ, સુજલ ધર્મેશભાઈ પારેખ, આર્યન ધર્મેશભાઈ પારેખ, ધર્મેશનો ભાણેજ, ધર્મેશના બહેન અને ધર્મેશના બનેવીના નામ આપ્યા છે. સોની યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા તેના કૌટુંબિક ભાઈ હિરેન રાત્રિના પ્રહલાદ પ્લોટ શેરી નંબર ૪૯ પાસે હતા ત્યારે આરોપીઓ એક ગાળો આપી ગેરકાયદે મંડળી રચી ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યેા હતો. એ ડિવિઝન પોલીસ એ સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech