ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા પૂરી થઈ ગઈ છે પરંતુ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં હજુ પણ પરીક્ષાઓ ચાલુ છે. આવી કોઈ બાબતને ધ્યાનમાં લીધા વગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. 11થી ઉત્તરવહી ચકાસણીની કામગીરી જુદા જુદા મૂલ્યાંકન કેન્દ્રોમાં શરૂ કરવામાં આવી છે. પરંતુ પ્રથમ દિવસે જ ફીયાસકો થતા હવે બોર્ડે આ બાબતે ફેરફાર કર્યો છે અને આગામી તારીખ 17 થી પૂર્ણ કક્ષાએ મૂલ્યાંકનની કામગીરી શરૂ થશે.
ઉનાળાની આ કાળજાળ ગરમીમાં મૂલ્યાંકનની કામગીરીનો સમય સવારે 11 થી પાંચ ના બદલે સવારના વહેલો રાખવો જોઈએ તેવી શિક્ષકોની માગણી હતી. પરંતુ આમ થયું ન હતું. જોકે આજે સવારે 7:30 વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી મૂલ્યાંકનની કામગીરી કરાવવામાં આવી હતી અને ત્યાર પછી અડધો દિવસ રજા રાખવામાં આવી છે. આવતીકાલે ધુળેટી છે અને તેથી મૂલ્યાંકનની કામગીરીમાં આખા દિવસની રજા રાખવામાં આવી છે.
પેપર મૂલ્યાંકનની કામગીરી સાથે જોડાયેલા શિક્ષકોના જણાવ્યા મુજબ અમારી માગણીનો સ્વીકાર ગઈકાલે મોડી સાંજે થયો છે અને આ સંદર્ભે કોઈ જાણ કરવાના બદલે માત્ર બોર્ડે તેની વેબસાઈટ પર આ બાબત મૂકી છે. આજે સવારે 7:30 વાગ્યાથી 1:00 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવેલ હોવાની જાણ અનેક શિક્ષકોને ન થતા તેઓ રાબેતા મુજબ 11:00 વાગે પહોંચ્યા હતા અને એક વાગ્યા સુધીમાં જેટલું કામ થયું તેટલું કર્યું હતું. આ સમય માત્ર આજના એક દિવસ પૂરતો જ હોવાનું પણ બોર્ડ દ્વારા જણાવાયું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાઓ ચાલુ છે. બીજી બાજુ આગામી તારીખ 16 માર્ચના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પરીક્ષા છે અને તેમાં પણ ઘણા શિક્ષકોએ ફોર્મ ભર્યા હોવાથી આવા શિક્ષકો તે દિવસે મૂલ્યાંકન કેન્દ્રમાં હાજર નહીં રહી શકે તેવી રજૂઆત કરવામાં આવતા બોર્ડે આવા શિક્ષકોને તારીખ 16 ના રોજ પરીક્ષા માટે મુક્તિ આપી છે. આ તમામ બાબત જોતા હવે તારીખ 17 થી પેપર ચકાસણીનું કાર્ય પૂરજોશથી શરૂ થાય તેવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech