પતિ દ્વારા આપવામાં આવતાં ત્રાસથી કંટાળી મહિલાએ આત્મહત્યા કરી લેતા આ બનાવ અંગે પત્નિને મરવા માટે મજબુર કરનાર પતિ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવી વિગત એવી છે કે,કુડા ખાતે રહેતી જાગૃતિબહેન બારૈયા નામની મહિલાએ તા.૩૦ ઓગસ્ટના રોજ ઝેરી દવી પી લીધી હતી અને ત્યાર બાદ સારવાર દરમિયાન તા.૩ સપ્ટેમ્બરના રોજ જાગૃતિબહેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક મહિલાના ભાઈ પ્રવીણભાઈ ચુડાસમાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં તેના બનેવી પ્રવીણ રવજીભાઈ બારૈયા સામે ગુનો દાખલ કર્યો હતો.
જાગૃતિબહેનના લગ્ન પ્રવીણ બારૈયા સાથે વર્ષ ૨૦૨૧માં થયા હતા અને તે સંતાનમાં એક પુત્ર છે. લગ્ન બાદ જાગૃતિબહેનને પતિ અસહ્ય ત્રાસ આપતો હતો અને મારઝુડ પણ કરતો હતો એટલે અગાઉ ફરિયાદીના બહેન પિયરમાં રહેવા માટે આવી ગયા હતા. જો કે, ત્યાર બાદ સમાધાન કરી જાગૃતિબહેનને તેમની સાસરીમાં મોકલવામાં આવ્યાં હતા તેમ છતાં પતિની હરકતોમાં કોઇ ફેર આવ્યો ન હતો અને આખરે પતિ દ્વારા અપાતા ત્રાસથી કંટાળી જાગૃતિબહેને ઝેરી દવી પી લઇ આત્મહત્યા કરી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech