ભાવનગર જિલ્લાના શામપરા ગામે માતા-પિતા પર પુત્રએ જમવાનું બનાવવા મામલે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જેમાં આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શામપરા (ખોડિયાર) ગામે ત્રણ દિવસ પુર્વે દિકરાએ જમવા બનાવવાની બાબતે માતા સાથે માથાકુટ કરતા પિતાએ પુત્રને ઢપકો આપ્યો હતો. જેને લઈ પુત્રએ ઉશ્કેરાઈ પિતા પર હુમલો કરી ધોકાના ઘા ફટકારી ગંભીર ઈજા પહોચાડતા તેઓને સારવારમાં ખસેડવામા આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે આધેડનું મૃત્યુ થવા પામ્યું હતું. ત્યારે પોલીસે હત્યાંની કલમ ઉમેરી કરવા સહીતની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના અને વરતેજ તાબેના શામપરા (ખોડીયાર) ગામે રહેતા નિમુબેન ટીડાભાઈ રાભડીયાએ વરતેજ પોલીસ મથકમાં તેના દિકરા ભરત ટીડાભાઈ રાફડીયા સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૭.૪ના રોજ રાત્રીના તેના દિકરા ભરતે જમવાનું બનાવવા બાબતે તેઓ સાથે માથાકુટ કરતો હતો. જેથી તેના પતિ ટીડાભાઈ અરજણભાઈએ દિકરા ભરતને ઢપકો આપતા ભરતે અપશબ્દો આપતા તેને ટીડાભાઈએ અપશબ્દો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ભરતે તેઓ અને તેના પતિ ટીડાભાઈ અરજણભાઈ રાફડીયા (ઉ.વ. ૬૫) ઉપર હુમલો કરીને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. જેના પગલે પુત્રના હુમલામાં ઘવાાયેલા ટીડાભાઈને ગંભીર હાલતે ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઉક્ત બનાવ સંદર્ભે વરતેજ પોલીસે શખસ સામે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.
દરમિયાન પુત્રના હુમલામાં ઘવાયેલા અને ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ. રહેલા ટીડાભાઈ અરજણભાઈ રાફડીયા (ઉ.વ. ૬૫)એ ગત રાત્રીના ૮.૩૦ કલાકના અરસા દરમિયાન હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. જે બનાવ હત્યામાં પરિણામ્યો હતો. આધેડના મૃત્યુના પગલે વરતેજ પોલીસે ગુનામાં આઈપીસી. ૩૦૨નો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech