રાજકોટની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા ત્રંબામાં પાનની દુકાન ચલાવનાર યુવાન અને તેના મિત્રને અહીં ગામમાં જ રહેતા પિતા–પુત્રોએ ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યેા હતો. આરોપીના પુત્રને મારમાર્યાનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ત્રંબામાં ત્રિવેણી ગેટ પાસે રહેતા અને ઘર પાસે જ મહાદેવ નામની પાનની દુકાન ચલાવનાર વિપુલ નરશીભાઈ જેસાણી (ઉ.વ ૩૫) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભુપત ઉર્ફે હકો પરબતભાઈ બાવળીયા તેનો પુત્ર સતીશ અને બલદેવના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના દોઢેક વાગ્યે આસપાસ તે તથા તેનો મિત્ર અજય મોરવાડિયા તેમની દુકાન પાસે ઊભા હતા ત્યારે ગામમાં રહેતો ભુપત ઉર્ફે હકો તથા તેના બે પુત્ર સતીશ અને બલદેવ અહીં આવ્યા હતા અને હકાએ કહ્યું હતું કે મારો દીકરો સતીશ તારી દુકાને આવ્યો હતો તો કેમ તેને સંતવા દીધો ન હતો અને તેને શું કામ માયુ તેમ કહેતા યુવાને કહ્યું હતું કે મેં નથી માર્યેા. બાદમાં હકો તેને ગાળો દેવા લાગ્યો હતો. ગાળો દેવાની ના પાડતા હકાએ તેના હાથમાં રહેલ લાકડાનો ધોકા વડે યુવાન પર હત્પમલો કરી તેને પગના ભાગે ધોકા ના ફટકાર્યા હતા તેમજ તેના બંને પુત્ર સતીશ અને બલદેવ પણ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
આ સમયે યુવાનનો મિત્ર અજય વચ્ચે પડતા તેને પણ ધોકા વડે માર માર્યેા હતો. યુવાન ભાગવા જતા તેના માથા પર ધોકો માર્યેા હતો. દરમિયાન હકાની પત્ની રેખા આવી જતા તેણે વધુ મારમાંથી યુવાનને બચાવ્યો હતો.
ત્યારબાદ યુવાનના મિત્રએ ૧૦૮ ને ફોન કરતા યુવાનને ૧૦૮ મારફત સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech