ગ્રેટર નોઈડામાં યમુના એકસપ્રેસ વેના ઝીરો પોઈન્ટ પરથી ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે અને વહીવટીતંત્રે યમુના એકસપ્રેસ વેના ઝીરો પોઈન્ટથી ખેડૂતોના વિરોધને ખતમ કરી દીધો છે. તો બીજી તરફ ગૌતમ બુદ્ધ નગરમાં ખેડૂતોના આંદોલને ફરી નવો વળાંક લીધો છે, વિરોધ સ્થળેથી પોલીસે ખેડૂતોની અટકાયત કરી છે. ભારતીય કિસાન યુનિયન દ્રારા બોલાવવામાં આવેલી મહાપંચાયત બાદ આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતો સ્થાનિક જમીન સંપાદન અને વળતરની વિસંગતતાઓ અને તેમના અધિકારો સંબંધિત મુદ્દાઓ પર વિરોધ કરી રહ્યા હતા.ગૌતમ બુદ્ધ નગરમાં ખેડૂતો અને વહીવટીતત્રં વચ્ચે ચાલી રહેલી મડાગાંઠને કારણે હવે રાજનીતિ બદલાઈ છે.
ખેડૂતોને કસ્ટડીમાં લીધા બાદ ઝીરો પોઈન્ટ પર વિરોધનો અતં આવ્યો હતો. સીએમ યોગી આદિત્યનાથે સ્પષ્ટ્ર કહ્યું કે અરાજકતા સહન કરી શકાય નહીં, બીજી તરફ ખેડૂતોની અટકાયત બાદ તનાવનું વાતાવરણ છે. તેને લોકતાંત્રિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવતા ભારતીય કિસાન યુનિયનના પ્રવકતાએ કહ્યું કે લડત ચાલુ રહેશે, પ્રશાસને આંદોલનકારીઓ સાથે કામ કરવા માટે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. ગૌતમ બુદ્ધ નગરમાં ખેડૂતો અને વહીવટીતત્રં વચ્ચે ચાલી રહેલી મડાગાંઠને કારણે હવે રાયનું રાજકારણ પણ ગરમાયું છે.
અગાઉ પોલીસે સંયુકત કિસાન મોરચાના નેતાઓને મુકત કર્યા હતા જેમને સાંજે નોઈડામાં દલિત પ્રેરણા સ્થળ પર શાંતિ ભગં કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અગાઉ ૧૬૦ લોકોની ધરપકડ કરી હતી, જો કે તેમાં ઘણા વૃદ્ધો, મહિલાઓ અને બીમાર લોકોને બોન્ડ પર મુકત કરવામાં આવ્યા હતા. ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ગેરહાજરીમાં, તેમના પુત્ર ગૌરવ ટિકૈતે મહાપંચાયતને સંબોધિત કરી હતી, જો કે, રાકેશ ટિકૈત સાંજે પોલીસને ચકમો આપીને પંચાયત સ્થળ પર પહોંચવા માટે યમુના એકસપ્રેસ વે પર દોડી ગયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech