વર્ષ નબળુ હોવાની સાથે ખેડૂતોને વધારાનો આર્થિક માર, બોટલ વગર ખાતર આપવામાં આવતું ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ: સરકાર સ્પષ્ટતા કરે તેવી માંગ
ધ્રોલમાં ખેડૂતોને ડીએપી ખાતરની ત્રણ થેલી સાથે એક નેનો ડીએપીની એક બોટલ ફરજીયાત ન હોય છતાં ફરજીયાત આપવાની સરકારની બે ધારી નિતીનાં આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. એક તો વરસ નબળું અને ખેડૂતોને ઉપરથી ફરીજીયાત નેનો ડીએપીની બોટલનો માર આવી પરિસ્થિતિમાં ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આ બાબતે ખુદ ખાતર ખરીદવા જઇ વિડીયો બનાવી કૃષિ મંત્રી અને સરકારને સવાલો કયર્િ છે.
ધ્રોલ તાલુકામાં હાલમા એક તો ડીએપી ખાતરની અછત ખાતરનો સ્ટોક 20 દિવસ મોડો આવ્યો છે. છે. ઘણાં બધાં વિસ્તારોમાં એક બાજુ પીયત માટે પાણી ની અછત છે ત્યારે ખાતર મળતુ ન હોવાથી ખેડૂતોને રવિપાકનું વાવેતર કરવામાં મોડું થયું છે. આથી ખેડૂતની હાલત બગડે તેમ છે. એક બાજુ કૃષિમંત્રી વિધાનસભામાં જાહેરાત કરે છેકે ડીએપી સાથે નેનો ડીએપી લેવું ફરજીયાત નથી.
પરંતુ સ્થિતિ એથી ઉલટી હોવાનાં આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે અને ખેડૂતોને ફરજીયાત ત્રણ થેલી ડીએપી સાથે ફરજીયાત એક નેનો ડીએપીની 600/- ની કિંમતની બોટલ આપવામાં આવે છે. અન્યથા ખાતર આપવામાં આવતું નથી. આથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સહકારી મંડળી અને ખાતરનાં વિક્રેતાઓ પણ કહે છેકે અમોને ફરજીયાત બીલ સાથે આપવામાં આવે છે. જેનાં બીલો પણ વિક્રેતાઓ બતાવે છે. આ બાબતે સરકાર સ્પષ્ટતા કરે કે ખરેખર વાસ્તવિકતા શું છે. તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech