કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે સરકાર 2024માં તિજોરી ખોલવા જઇ રહી છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજારને બદલે નવ હજાર રૂપિયા મળી શકે છે. એટલે કે દર મહિને 500 રૂપિયાને બદલે 750 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવે તેવી શકયતા છે. આ માટે બજેટમાં મોટા પાયે ફાળવણી થઇ શકે છે.
સરકાર 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે. જે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલ રૂ.1.44 લાખ કરોડ કરતા 39 ટકા વધુ હશે. ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજનાને પાંચ વર્ષ પૂર્ણ થશે. ત્યારે સરકાર આગામી પાંચ વર્ષ સુધી ખેડૂતોની આવક વધારવાની તૈયારી કરી રહી છે. પીએમ કિસાન યોજના હેઠળ બજેટમાં 30 ટકા રકમ વધુ ફાળવી શકાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં 60હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. પાક વીમા યોજના હેઠળ 17 ટકા વધુ બજેટ ફાળવવામાં આવશે. જે 2023-24 માટે 13,625કરોડ રૂપિયાનું હતું. પાક વીમા યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ખેડૂતોના પાકનો ઓછા પ્રીમિયમ પર વીમો લેવામાં આવે છે. ખેડૂતોએ કુલ પ્રીમિયમના માત્ર 1.5 થી 5 ટકા જ ચૂકવણી કરવાની રહે છે. જયારે બાકીની રકમ સરકાર દ્રારા જમા કરવામાં આવે છે.
મહત્વનું છે કે, પહેલી ફેબ્રુઆરીએ વચગાળાના બજેટમાં કૃષિ બજેટની ફાળવણી કરવામાં આવશે કે લોકસભાની ચૂંટણી બાદ જુલાઇમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં ફાળવણી કરવામાં આવશે તે વાત હજૂ સુધી સ્પષ્ટ કરવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech