ગારીયાધારમાં નેશનલ ફૂડ મિશન ઓન ઓઈલ સીડ્સ એન્ડ ઓઈલપામ મિશન અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમ

  • September 21, 2024 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ ભાવનગરગારીયાધાર ખાતે લુહાણા મહાજન સમાજની વાડીમાં નેશનલ ફૂડ મિશન ઓન ઓઈલ સીડ્સ એન્ડ ઓઈલપામ મિશન અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમ તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફાર્મર પ્રોડ્યુસર કંપની ગારીયાધારની સામાન્ય સભાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ ભાવનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન રસિકભાઈ ભીંગરાડીયા, વાઈસ ચેરમેન તેમજ જીલ્લા ખેતીવાડી અધિકારી અશોક પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ એસ.બી. વાઘમશી, ઊંટઊં જગદીશભાઈ કંટારીયા, બાગાયત નિયામક વાઘમશી , નાયબ ખેતી નિયામક રીઝવાન, તેમજ ગારીયાધાર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ વી.આર.ટી.આઈ. ના સી.ઈ.ઓ. મનુભાઈ ચૌધરી,  જોરસંગભાઇ પરમાર,  નરેન્દ્રસિંહ ઝાલા, તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન હસમુખભાઈ મોરડિયા, તેમજ તમામ ડાયરેક્ટર તથા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ઓઈલપામ મિશન અંતર્ગત બાગાયત વિભાગના અધિકારી ધ્વારા વિગતે સમજણ આપવામાં આવી હતી. જેમાં કંપનીના સી.ઈ.ઓ. વિરલ સીસા ધ્વારા હિસાબો વંચાણે લેવામાં આવ્યા અને સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી. કંપનીના ડાયરેકટર ભરતભાઈ ધામેલીયા ધ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application