આજકાલ પ્રતિનિધિ ભાવનગરગારીયાધાર ખાતે લુહાણા મહાજન સમાજની વાડીમાં નેશનલ ફૂડ મિશન ઓન ઓઈલ સીડ્સ એન્ડ ઓઈલપામ મિશન અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમ તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફાર્મર પ્રોડ્યુસર કંપની ગારીયાધારની સામાન્ય સભાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ ભાવનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન રસિકભાઈ ભીંગરાડીયા, વાઈસ ચેરમેન તેમજ જીલ્લા ખેતીવાડી અધિકારી અશોક પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ એસ.બી. વાઘમશી, ઊંટઊં જગદીશભાઈ કંટારીયા, બાગાયત નિયામક વાઘમશી , નાયબ ખેતી નિયામક રીઝવાન, તેમજ ગારીયાધાર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ વી.આર.ટી.આઈ. ના સી.ઈ.ઓ. મનુભાઈ ચૌધરી, જોરસંગભાઇ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન હસમુખભાઈ મોરડિયા, તેમજ તમામ ડાયરેક્ટર તથા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ઓઈલપામ મિશન અંતર્ગત બાગાયત વિભાગના અધિકારી ધ્વારા વિગતે સમજણ આપવામાં આવી હતી. જેમાં કંપનીના સી.ઈ.ઓ. વિરલ સીસા ધ્વારા હિસાબો વંચાણે લેવામાં આવ્યા અને સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી. કંપનીના ડાયરેકટર ભરતભાઈ ધામેલીયા ધ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech