માધાપર પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

  • September 19, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માધાપર પ્રા.શાળાના  શાળાના શિક્ષક  મનોજભાઈ પટેલનો વિદાય સમારંભ યોજાયો હતો તમામ આયોજન માધાપર ગામ વતી કરવામાં આવ્યું હતું જેમાં શાળા શિક્ષકો દ્વારા ખુબજ ઉમદા યોગદાન આપવામાં આવ્યું.શાળા ના ભૂતપૂર્વ  શિક્ષકો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા વિદાય લેતા શિક્ષક મનોજભાઈ પટેલ સાથે ના સંસ્મરણો વાગોળ્યા હતા.પધારેલ મહેમાનો  તલાટી કમ મંત્રીઓ તાલુકા શાળા આચાર્ય શાળાના નિવૃત શિક્ષક જાવીયા હરજીભાઈ અને અન્ય મહાનુભાવો દ્વારા મનોજભાઈનું સન્માન કરી અભિનંદન સાથે વિદાય આપી હતી.


શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો.શાળા પરિવાર અને ગ્રામજનો  દ્વારા પણ મનોજભાઈ ને  મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.મનોજભાઈ દ્વારા શાળા વિકાસ માટે રૂપિયા 11000 અનુદાન તેમજ દરેક બાળકને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. ભારે હૈયે શાળાના બાળકો અને ગ્રામજનોએ  વિદાય આપી હતી .


આભાર વિધિ ગામના યુવાન દિનેશભાઇએ કરેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ભૂતપૂર્વ શિક્ષક નિલેશભાઈ લખતરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે ગ્રામજનો દ્વારા સરૂચી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application