પ્રખ્યાત અભિનેત્રી આશા શર્માનું 88 વર્ષની વયે નિધન, પ્રભાસ અને ધર્મેન્દ્ર સાથે કર્યું છે કામ

  • August 25, 2024 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણા શો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ફેમસ એક્ટ્રેસ આશા શર્માનું 88 વર્ષની વયે નિધન થયું છે. તેમના મૃત્યુની પુષ્ટિ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) દ્વારા કરવામાં આવી છે.


ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા શો અને ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી આશા શર્મા હવે આ દુનિયામાં નથી. આશા શર્માનું 88 વર્ષની વયે અવસાન થયું છે. જો કે તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.




અભિનેત્રીના મૃત્યુની પુષ્ટિ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) દ્વારા કરવામાં આવી છે અને CINTAAએ પણ શોક વ્યક્ત કર્યો છે. આશા શર્માના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આશાએ લોકપ્રિય ટીવી શો 'કુમકુમ ભાગ્ય' અને ફિલ્મ 'આદિપુરુષ'માં પણ કામ કર્યું હતું. તેમના નિધન પર ટીવી જગતની સાથે સાથે ફિલ્મી હસ્તીઓએ પણ શોક વ્યક્ત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application