અમદાવાદ શહેરમાં ચકચાર મચાવનાર ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતો દર્દીઓ સાથેનો ક્રૂર રમતનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હોસ્પિટલના સંચાલકોએ પૂર્વનિયોજિત કાવતરું રચીને દર્દીઓને જીવલેણ ઓપરેશન કરીને તેમના જીવ લીધા હતા.
આ મામલે પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવવધનો ગુનો નોંધ્યો છે. તપાસમાં એ વાત સામે આવી છે કે હોસ્પિટલના સંચાલકો દર્દીઓને ખોટી રીતે એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની જરૂર હોવાનું જણાવીને ઓપરેશન કરતા હતા. જ્યારે હકીકતમાં એકપણ દર્દીને આ ઓપરેશનની જરૂર નહોતી.
આ મામલે પોલીસે હોસ્પિટલના ઈન્ચાર્જ સીડીએમઓ પ્રકાશ મહેતા, ડૉ. પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર ડૉ.કાર્તિક પટેલ, ડૉ.સંજય પટોળીયા, રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપુત સામે સદોષ માનવવધનો ગુનો નોંધ્યો છે. તપાસમાં એ વાત સામે આવી છે કે હોસ્પિટલના સંચાલકો દર્દીઓને ખોટી રીતે એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની જરૂર હોવાનું જણાવીને ઓપરેશન કરતા હતા. જ્યારે હકીકતમાં એકપણ દર્દીને આ ઓપરેશનની જરૂર નહોતી.
પોલીસના જણાવ્યા મુજબ હોસ્પિટલના સંચાલકોએ ઓપરેશન દરમિયાન જાણી જોઈને ભૂલો કરીને દર્દીઓના મોત નિપજાવ્યા હતા. આ મામલે હોસ્પિટલના તમામ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. લોકોમાં હોસ્પિટલો પ્રત્યેનો વિશ્વાસ ડગી ગયો છે. આ ઘટના એકવાર ફરીથી આપણને આરોગ્ય ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર તરફ ધ્યાન દોરવાનું કામ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech