ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવની પરિસ્થિતિ ઉભી થઇ છે અને વધુ તંગદિલી થાય તેવુ જણાઇ રહ્યુ છે ત્યારે પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લેતા પોરબંદરમાં ફટાકડા ફોડવા ઉપર અને ડ્રોન ઉડાડવા ઉપર તા. ૨૪-૫ સુધી પ્રતિબંધ મુકવામા આવ્યો છે અને તેનો ભંગ કરનાર સામે એફ.આઇ.આર. થશે તેમ જણાવાયુ છે.
પોરબંદરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.વદરે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.) ૨૦૨૩ની કલમ ૧૬૩ થી મળેલી સત્તાની એ પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર અને તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમણે બહાર પાડેલા જાહેરનામામા જણાવ્યુ છે કે રાષ્ટ્રમાં પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લેતા પોરબંદર જિલ્લા વિસ્તારના નાગરિકોમાં ભય જેવી પરિસ્થિતિ ઉભી ન થાય તેમજ નાગરિકોના જાનમાલની સુરક્ષાને ધ્યાને લઇ આગામી ૧૫ દિવસો સુધી પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર તેમજ તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવા માટે દરખાસ્ત થઇ આવેલ છે. આમ હાલની પરિસ્થિતિ ધ્યાને લેતા લોકોમાં ભય ન ફેલાય અને કોઇપણ પ્રકારે જાહેર વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા કે તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવો જરી ગણાય છે.
આ હુકમ તા. ૯-૫-૨૦૨૫ થી તા. ૨૪-૫-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) ૨૦૨૩ની કલમ -૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક એ.એસ.આઇ. સુધીનો હોદો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો પાસેથી જાહેર વ્યવસ્થા કે લોકોમાં ભય ફેલાય તેવો કોઇપણ સામાન પોલીસ તપાસ અર્થે કબ્જે લઇ શકશે. તેમ જણાવીને પોરબંદરના અધિકજિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.વદરે જાહેરનામુ બહાર પાડયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech