અમેરિકાથી હાંકી કઢાયેલા ભારતીયો મુદ્દો વિપક્ષે સંસદમાં ઉઠાવ્યો છે. જેન લઈને વિદેશમંત્રી એસ. જયશંકરે સંસદમાં જવાબ આપતા જણાવ્યું કે, અમેરિકાએ નિયમો મુજબ ભારતીયોને મોકલ્યા છે. સાંસદોએ જાણવું જોઈએ કે આ કોઈ નવી વાત નથી, આ પહેલા પણ બનતું રહ્યું છે. વર્ષ 2009માં 747 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. એ જ રીતે સેંકડો લોકોને વર્ષ દર વર્ષ પાછા મોકલવામાં આવ્યા. દરેક દેશમાં રાષ્ટ્રીયતાની તપાસ કરવામાં આવે છે.
અમે યુએસ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ
વધુમાં જણાવ્યું હતું કે, લશ્કરી વિમાન દ્વારા મોકલવાનો નિયમ 2012થી અમલમાં છે. આ બાબતે કોઈ ભેદભાવ નથી. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ફસાયેલા હતા, તેમને પાછા લાવવા પડ્યા. અમે યુએસ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. જેથી ખાતરી કરી શકાય કે ડિપોર્ટ થયેલા લોકો સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય. આપણું ધ્યાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરવા પર હોવું જોઈએ.
અમે દેશનિકાલના મુદ્દા પર અમેરિકી સરકાર સાથે સતત સંપર્કમાં છીએ
દેશનિકાલ પર સંયુક્ત રાષ્ટ્ર સંધિનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે, તે કાયદેસર સ્થળાંતરને સમર્થન આપવા અને ગેરકાયદેસર સ્થળાંતરને અસમર્થન કરવા માટે છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ત્યાં અમાનવીય પરિસ્થિતિમાં ફસાયેલા હતા. ભારતીયો સાથે કોઈપણ પ્રકારનો અમાનવીય વ્યવહાર ન થાય તે માટે અમે દેશનિકાલના મુદ્દા પર અમેરિકી સરકાર સાથે સતત સંપર્કમાં છીએ.
દર વર્ષે કેટલા ગેરકાયદે ભારતીયો પરત આવ્યા?
2010 | 799 |
2011 | 597 |
2012 | 530 |
2013 | 550 |
2014 | 591 |
2015 | 708 |
2016 | 1303 |
2017 | 1024 |
2018 | 1180 |
2019 | 2042 |
2020 | 1889 |
2021 | 805 |
2022 | 862 |
2024 | 1368 |
2025 | 104 |
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાઉથ આફ્રિકાની જીત: ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવી સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ
March 01, 2025 11:48 PMવડાપ્રધાન મોદીનું જામનગર ઍરપોર્ટ પર થયુ આગમન, રસ્તાની બંને તરફ લોકોની ભીડ
March 01, 2025 08:50 PMગાંધીનગર: જૂના સચિવાલયમાં લાંચ લેતા રાજ્ય વેરા નિરીક્ષક ઝડપાયા
March 01, 2025 08:47 PMGPSC પરીક્ષાનું સમયપત્રક જાહેર: જાણો ક્યારે લેવાશે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા
March 01, 2025 08:45 PMવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમનઃમહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત
March 01, 2025 08:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech