મલેશિયા દ્રારા ઝાકિર નાઈકને ભારતને સોંપવા અંગે ખુલાસો: પુરાવા મળશે તો કાર્યવાહી થશે

  • August 21, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ ભારતની મુલાકાતે છે. તેઓ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ મોદીને મળ્યા બાદ યારે મલેશિયાના વડાપ્રધાનને એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકના પ્રત્યાર્પણ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જો નાઈક વિદ્ધ પૂરતા પુરાવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વલ્ર્ડ અફેર્સમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન યારે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમને મલેશિયામાં રહેતા ઝાકિર નાઈકના પ્રત્યાર્પણ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જો નાઈક વિદ્ધ પૂરતા પુરાવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. જોકે, તેમણે કહ્યું કે આ મુદ્દાથી બંને દેશોના સંબંધો પર અસર થવી જોઈએ નહીં.

પીએમ ઈબ્રાહિમે કહ્યું કે આ મામલો ભારતે ઉઠાવ્યો નથી. વડાપ્રધાન મોદીએ અગાઉ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પણ હત્પં અહીં એક વ્યકિતની વાત નથી કરી રહ્યો. હત્પં ઉગ્રવાદની વાત કં છું. અમારી સરકાર ઝાકિર નાઈકના કેસમાં રજૂ કરવામાં આવનાર તમામ પુરાવાઓનો સ્વીકાર કરશે. અમે આતંકવાદ સામે લડવા માટે ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

ઝાકિર નાઈક પર ભડકાઉ ભાષણ આપવા, મની લોન્ડરિંગ અને ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. મે ૨૦૧૯માં ઇડીએ ઝાકિર નાઈક સામે ટેરર ફંડિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે એજન્સીએ અત્યાર સુધીમાં ૧૯૩ કરોડ પિયાની સંપત્તિની ઓળખ કરી છે, જેમાંથી ૫૦ કરોડ પિયાથી વધુની સંપત્તિ જ કરવામાં આવી છે.
ઇડીએ દાવો કર્યેા હતો કે ૨૦૦૩–૦૪ અને ૨૦૧૬–૧૭ની વચ્ચે ઝાકિર નાઈકે અજાણ્યા અને શંકાસ્પદ ક્રોતોમાંથી ૬૪ કરોડ પિયાનું ફંડિંગ મેળવ્યું હતું. આમાંથી મોટા ભાગના ભંડોળનો ઉપયોગ પીસ કોન્ફરન્સના આયોજન માટે કરવામાં આવ્યો હતો. એજન્સીએ એ પણ જણાવ્યું હતું કે ૨૦૧૨ થી ૨૦૧૬ દરમિયાન ઝાકિર નાઈકને પણ ૪૯.૨૦ કરોડ પિયા મળ્યા હતા. આ રકમ નાઇકીના યુએઈ બેંક ખાતામાં આવી હતી.અગાઉ ઓકટોબર ૨૦૧૭માં એનઆઈએએ પણ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં એનઆઈએએ ઝાકિર નાઈક પર ભડકાઉ ભાષણ આપવા અને યુવાનોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે ઝાકિર નાઈકના વીડિયો જોઈને યુવાનોને અસર થઇ છે અને તેમાંથી કેટલાક આતંકવાદી સંગઠનોમાં પણ જોડાઈ રહ્યા છે. એકંદરે ઝાકિર નાઈક પર કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application