દુનિયાભરની માહિતી મેળવવી હોય કે કોઈ પણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવું હોય, ફોન આપણી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં ખૂબ મોબાઈલ મદદરૂપ થાય છે. મોબાઈલે જીવન સરળ, ઝડપી અને અનુકૂળ બનાવ્યું છે. મિત્રો સાથે જોડાયેલા રહેવું હોયઈન્ટરનેટની ઍક્સેસ અને ઘણી એપ્સની મદદથી, આપણે ગમે ત્યાં અને ગમે ત્યારે જોઈતી માહિતી મેળવી શકીએ છીએ. જેમ દરેક વસ્તુની બે બાજુ હોય છે, તેવી જ રીતે ફોનના પણ ઘણા ફાયદા અને ગેરફાયદાઓ છે, તેથી તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થઈ શકે છે. આજના સમયમાં ફોન પર એટલા નિર્ભર થઈ ગયા છીએ કે તેનું વ્યસન થવું સામાન્ય બની ગયું છે. આ વ્યસન ઘણી ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે ફોન સ્વાસ્થ્ય પર કેવી રીતે ખરાબ અસર કરે છે.
ફોનમાંથી નીકળતું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અને ફોનની સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને જ્યારે ફોનને માથાની નજીક રાખીએ છીએ, એટલે કે ફોન અને યુઝર વચ્ચેનું અંતર જેટલું ઓછું હોય છે, તેટલી જ તેની શરીર પર અસર થાય છે. સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે. ફોનનો વધુ પડતો ઉપયોગ અને દુરુપયોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સમસ્યાઓ પણ પેદા કરી શકે છે.
કયા રોગોનું જોખમ?
મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી આંખો પર વિપરીત અસર થઈ શકે છે. લાંબા સમય સુધી ફોન પર કામ કરવાથી દ્રષ્ટિની ઝાંખી અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવાથી મેલાટોનિન હોર્મોનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે ઊંઘમાં તકલીફ પડે છે. આ સિવાય ફોનનો દુરુપયોગ જેમ કે સતત ફોનને હાથમાં પકડવો અથવા સ્ક્રીન તરફ જોવા માટે ગરદન નમાવીને શરીરને ખરાબ મુદ્રાનો શિકાર બનાવી શકે છે. ફોનનો ઉપયોગ કરતી વખતે લાંબા સમય સુધી બેસી રહેવું, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, તણાવ અને માથાનો દુખાવો હૃદય અને મગજ સંબંધિત રોગોનું જોખમ વધારી શકે છે. ત્યારે ફોનનો ઉપયોગ સમજદારીપૂર્વક અને મર્યાદિત રીતે કરવામાં આવે તે જરૂરી છે.
કેવી રીતે રક્ષણ કરવું?
તમારા ઉપકરણોને તમારા બેડથી દૂર રાખો.
બિનજરૂરી સૂચનાઓ બંધ રાખો.
ફોન જોવા માટે ચોક્કસ સમય નક્કી કરો.
કામ કરતી વખતે કે અભ્યાસ કરતી વખતે ફોનને દૂર રાખો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech