પ્રાણીના મૃતદેહના નિકાલ માટે રાજ્યમાં સૌપ્રથમ જુનાગઢ મહાનગરપાલિકાએ પહેલ કરી છે અને ગેસ ભઠ્ઠી કાર્યરત કરી છે. આગામી સમયમાં જામનગરમાં પણ આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવનાર છે. આ માટે આયોજન ઘડવામાં આવી રહ્યું છે.
મહાનગરોમાં પ્રાણીના મૃત્યુ પછી તેના મૃતદેહને ઉપાડી શહેર થી દૂર જમીનમાં ખાડો કરી તેમાં મીઠું નાખી મૃતદેહનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ જુની પદ્ધતિ થી આજુબાજુના વસવાટ કરતા લોકો ને અસહ્ય દુર્ગધ સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિકાલ માટે રાજ્યમાં સૌ પ્રથમ જુનાગઢ મહાનગર પાલિકાએ ગેસ આધારિત ભઠ્ઠી બનાવી છે જ્યાં મૃત પશુ-પ્રાણીના અગ્નિદાસથી નિકાલ કરવામાં આવી રહ્યા છે. હાલ ત્યાં દરરોજ ૭ થી ૮ પશુ- પ્રાણીના મૃતદેહનો નિકાલ કરવામાં આવે છે.
જામનગર મહાનગર-પાલિકાએ પણ આ મુદ્દે વિચારણા કરી છે અને આગામી સમયમાં આ પ્રકારની સુવિધા જામનગરમાં પણ શરૂ કરવામાં આવનાર છે.
હાલ આ અંગે ટેન્ડર માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને લગભગ પંદરેક દિવસમાં ટેન્ડર પ્રસિદ્ધ થઈ જશે અને આ પછી સમગ્ર પ્રોજેકટને આખરી ઓપ આપવામાં આવશે. ટુંક સમયમાં આગામી સમયમાં જામનગર મહાનગર પાલિકા દ્વારા પણ પશુ-પ્રાણીના મૃતદેહનો વૈજ્ઞાનિક ધોરણે, અગ્નિ સંસ્કારથી નિકાલ કરવાની સેવા-સુવિધા શરૂ થનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech