બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલી હિંસા અને વિરોધ બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું અને ભારત આવ્યા છે. જોકે તેણે બ્રિટન પાસે રાજકીય આશ્રય માંગ્યો છે. જ્યાં સુધી હસીનાને બ્રિટનમાં આશ્રય નહીં મળે ત્યાં સુધી શેખ હસીના ભારતમાં જ રહેશે. સોમવારે તેમની સરકારના પતન બાદ ભારત સરકારે વચગાળાના સ્થળાંતરની પરવાનગી આપી છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે શેખ હસીના આવી મુશ્કેલીમાંથી બચવા ભારત આવ્યા હોય.
અગાઉ 1975માં પણ શેખ હસીના અને તેની બહેને ભારતમાં આશરો લીધો હતો. ત્યારબાદ તે 6 વર્ષ સુધી દિલ્હીમાં રહ્યા હતા. 15 ઓગસ્ટ 1975ના રોજ, શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. તે દિવસે શેખ હસીનાના પરિવારના 17 લોકોની હત્યા કરવામાં આવી હતી. જો કે, શેખ હસીના અને તેની બહેન તે સમયે જર્મનીમાં હતા, તેથી તેઓ બચી ગયા.
પરેશાન શેખ હસીના અને તેની બહેનને તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે ભારતમાં રાજકીય આશ્રય આપ્યો હતો અને તેની બહેન 6 વર્ષ સુધી દિલ્હીમાંરહ્યા હતા. જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ, ત્યારે શેખ હસીનાએ બાંગ્લાદેશ પાછા ફરવાનું અને તેના પિતાનો રાજકીય વારસો લેવાનું નક્કી કર્યું.શેખ હસીના 16 ફેબ્રુઆરી 1981ના રોજ અવામી લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ પછી તે મે 1981માં ભારતથી બાંગ્લાદેશ પપહોંચ્યા હતા. અહીંથી તેમની રાજકીય કારકિર્દીની નવી શરૂઆત થઈ. જોકે, 1980નું દશક તેના માટે સારું નહોતું. તેણી જુદી જુદી જગ્યાએ કસ્ટડીમાં રહ્યા. નવેમ્બર 1984 સુધી તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ બધું હોવા છતાં શેખ હસીનાએ હાર ન સ્વીકારી. તેમના નેતૃત્વમાં અવામી લીગે 1986માં ચૂંટણીમાં ભાગ લીધો હતો. શેખ હસીના સંસદમાં વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા.શેખ હસીના 1996માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા. તેમણે 2001 સુધી સત્તા સંભાળી હતી. આ પછી, તે 2008માં ફરીથી પીએમ બન્યા. અને 2014, 2018, 2024માં પણ સામાન્ય ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech