તાવ અને વાયરલ ઇન્ફેકશનના જી.જી.હોસ્પિટલમાં 150 અને ખાનગી હોસ્પિટલમાં 130થી વધુ દર્દીઓ હોવાથી લોકોમાં ચિંતા: રોગચાળો હવે વિરામ લે તેવી પ્રાર્થના: ગામડાઓમાં પણ શરદી-ઉધરસના કેસો વઘ્યા
જામનગર સહિત સમગ્ર હાલારમાં ડેન્ગ્યુનો ડંખ વકરી રહ્યો છે તેમજ ગઇકાલે તાવ અને વાયરલ ઇન્ફેકશનના કેસો ઉપરાંત શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જી.જી.હોસ્5િટલમાં બે દિવસમાં તાવના 280 અને ખાનગી હોસ્પિટલમાં 250થી વધુ દર્દીઓ ઇન્ફેકશનના કારણે ઓપીડીમાં આવ્યા હતાં, ડેન્ગ્યુનો ડંખ પણ યથાવત છે, જી.જી.હોસ્5િટલમાં બે દિવસમાં 30 અને ખાનગી હોસ્પિટલમાં બે દિવસમાં 40 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે આજે સવારે પણ જી.જી.ની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી હતી.
જામનગર શહેર જ નહીં કાલાવડ, ખંભાળીયા, કલ્યાણપુર, લાલપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા સહિતના ગામોમાં પણ શરદી-ઉધરસના કેસોની સાથે ડેન્ગ્યુ અને તાવના કેસો વધી રહ્યા છે. ટુંકમાં રોગચાળો વધી રહ્યો છે તે ખુબ જ ચિંતાજનક કહી શકાય. મિશ્ર ઋતુને કારણે રોગચાળો હટવાનું નામ લેતો નથી. ખાનગી હોસ્પિટલની ઓપીડી અને જી.જી.ની ઓપીડી દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે ઝડપથી રોગચાળો ઓછો થાય તેમ લોકો ઇચ્છી રહ્યા છે.
શહેરની જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે આજે સવારે પણ ડેન્ગ્યુથી પીડાતા અનેક દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા માટે આવ્યા હતાં, 20 જેટલા દર્દીઓ જોવા મળ્યા હતાં, ગઇકાલે 14 થી વધુ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, એવરેજ ઓપીડી ગણીએ તો સાત દિ’માં 430થી વધુ દર્દીઓ સારવાર લેવા આવ્યા છે અને અઠવાડીયામાં 400થી વધુ દર્દીઓને દાખલ કરી સારવાર આપી રજા આપી દેવામાં આવી છે. જયારે ખાનગી હોસ્પિટલમાં તાવ અને વાયરલ ઇન્ફેકશનના 115થી વધુ અને જી.જી.હોસ્પિટલમાં 125 જેટલા દર્દીઓ ઓપીડીમાં હોવાનું જાણવા મળ્યું છે જેમાં 13થી 15દર્દીઓને દાખલ કરાયા હોવાનું બહાર આવ્યું છે.
જામનગર સહિત હાલારના કેટલાક ગામડાઓમાં રોગચાળો વઘ્યો છે, પરંતુ જિલ્લા પંચાયત દ્વારા પુરતી માહિતી આપવામાં આવતી નથી તે પણ હકીકત છે, કાલાવડ, ખંભાળીયા, દ્વારકા અને ભાણવડમાં તાવ, શરદી, ઉધરસના કેસો વઘ્યા છે, કયાંક-કયાંક ડેન્ગ્યુ પણ દેખા દે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech