કાનપુરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટમાં ઇન્ફેકશન લાગતા એન્જીનીયરનું મોત

  • May 12, 2025 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક એન્જિનિયરને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને વાળ પાછા મેળવવાની ઇચ્છા મોંઘી સાબિત થઈ. કારણ કે તેનું મૃત્યુ હેર ટ્રાન્સપ્લાન્ટને કારણે થયું. હવે તેની પત્નીએ આ સમગ્ર મામલાની ફરિયાદ મુખ્યમંત્રીના પોર્ટલ પર કરી. જે બાદ પોલીસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉક્ટર વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


પ્રાપ્ત માહિતી મુજબ, આસિસ્ટન્ટ એન્જિનિયર વિનીત દુબે કાનપુરના પંકી પાવર પ્લાન્ટમાં પોસ્ટેડ હતા. તેમની પત્ની જયા દુબે કહે છે કે મારા પતિ ગોરખપુરના રહેવાસી હતા. હોળીની રજા હોવાથી હું મારા બે બાળકો સાથે ગોંડામાં મારી માતાના ઘરે ગઈ હતી. દરમિયાન, 12 માર્ચે મારા પતિએ કલ્યાણપુરની ડૉ. અનુષ્કા તિવારી પાસેથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. પત્ની કહે છે કે ડૉક્ટરે પોતે મારા પતિનો ફોન પર સંપર્ક કર્યો હતો.


હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન મારા પતિનો ચહેરો સોજી ગયો અને તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ. જે બાદ ડોક્ટરે તેમને બીજી જગ્યાએ સારવાર કરાવવાની સલાહ આપી. જેથી સાસરિયાઓએ તેને સર્વોદય નગરની એક મોટી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં ડોક્ટરે તેમની સારવાર કરી પરંતુ ગંભીર ચેપને કારણે તેમનું 15 માર્ચે અવસાન થયું. હેર ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય રીતે ન થવાને કારણે તેમનું મૃત્યુ થયું.


પત્ની જયાનો આરોપ છે કે જ્યારે મેં ડૉક્ટર સાથે વાત કરી ત્યારે તેમણે પોતે જ પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે હેર ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય રીતે ન થવાને કારણે ચેપ ફેલાયો હતો. આ સમગ્ર કેસમાં કલ્યાણપુર એસીપી અભિષેક પાંડે કહે છે કે પત્નીની ફરિયાદ પર હેર ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉક્ટર વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application