મોબાઈલ ફોન તોડી નાખવા સબબની પણ ફરિયાદ
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી એક સ્કૂલ પાસે રહેતા મહેશભાઈ જયંતીલાલ સોનગરા નામના 29 વર્ષના યુવાન અહીંના દ્વારકા માર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે મંગળવારે તેમની ફરજ પર હતા. ત્યારે નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના એક શખ્સએ તેમની પાસે આવી અને કોઈ બાબતે બોલાચાલી કરી હતી. આ પછી આરોપી નરેન્દ્રસિંહએ મહેશભાઈ સોનગરાને બિભત્સ ગાળો કાઢી, અને તેમને ગાલ પર ફડાકા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, તેમનો મોબાઈલ ફોન પણ તોડી નાખી, તેમાં પણ નુકસાની પહોંચાડી હતી.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મહેશભાઈ સોનગરાની ફરિયાદ પરથી આરોપી નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.જે. હુણ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech