રામ લલ્લાની પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરમાં આજથી અગિયાર અધિવાસ યોજાશે

  • January 18, 2024 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામ લલ્લાની મૂર્તિના અભિષેકની પ્રક્રિયામાં અધિવાસ મહત્વપૂર્ણ ભાગ છે. અધીવાસનો અર્થ એ કે મૂર્તિને જે તે દ્રવ્યમાં થોડો સમય વાસ કરાવવામાં આવે છે, રાખવામાં આવે છે જેથી તે તત્વની ઉર્જા મૂર્તિમાં પ્રવિષ્ટ્ર થાય. સામાન્ય રીતે પ્રાણ–પ્રતિા મહોત્સવમાં ૭ અધિવાસ હોય છે, ઓછામાં ઓછા ત્રણ અધિવાસ હોય છે. આજથી ૨૧ જાન્યુઆરી વચ્ચે અયોધ્યામાં ૧૧ અધિવાસ થશે. પાંચ મહાન તત્વો અિ, જળ, વાયુ, આકાશ અને પૃથ્વીની વિશિષ્ટ્ર શકિતઓથી અધિવાસ થશે. આ કારણે મૂર્તિ આકર્ષક, ઉર્જાવાન અને વિશેષ આભા યુકત બને છે.

વિવિધ આધિવાસની ચોક્કસ અસર


દરેક વસ્તુની પોતાની ચોક્કસ અસર હોય છે. વિવિધ સંકલ્પો દ્રારા, વિવિધ દવાઓ અને સુગંધિત પ્રવાહી, અનાજ, ફળ, ફલ, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ વગેરેથી સ્નાન કરાવીને મૂર્તિને તેનો પ્રભાવ ગ્રહણ કરાવવામાં આવે છે અને તેની પ્રતિા કરવામાં આવે છે.
અન્નધિવાસ (ખોરાક): પૃથ્વી ખેતીથી ભરેલી રહે છે, જેથી સંસાર ચક્ર ચાલ્યા કરે .
ફલાધિવાસ: સૃષ્ટ્રિમાં દરેકને કર્મનું ફળ મળે છે એટલે કે આપણે જે કઈં પણ પ્રદાન કરીએ છીએ, તેનું ફળ આપણને પ્રા થશે.
પુષ્પધિવાસ: પુષ્પોથી જીવનમાં પ્રતિા, સંપત્તિ, સમૃદ્ધિ, પ્રગતિ અને યુવાની પ્રા થાય છે.
દુધાદિવાસ (દૂધ): મૂર્તિને દૂધથી સંતૃ કરાવવાથી કુટુંબ અથવા રાષ્ટ્ર્રમાં પશુ સંપત્તિનો લાભ મળે છે.
દધિવાસ (દહીં) : તબીબી ક્ષેત્રે પ્રગતિ થાય અને સંબંધિત પરિમાણોમાં સિદ્ધિ મળે.
ઘૃતધિવાસ (ઘી): મૂર્તિને ઘીથી સ્નાન કરાવવાથી સમગ્ર સનાતન સંસ્કૃતિનું પોષણ થાય છે. પ્રગતિ વધે છે.
શાહાધિવાસ (મધ): મધ સ્નાનથી કુદરતી સંતુલન, આરોગ્ય અને સમૃદ્ધિના રાષ્ટ્ર્રીય સ્તરે લાભો મળે છે.
શકરાધિવાસ (ખાંડ): શર્કરા અર્પણ કરવાથી વ્યકિત શાંતિ, શરણાગતિ અને સહનશીલતા પ્રા કરે છે.
રત્નાધિવાસ (રત્ન): મૂર્તિને રત્ન અર્પણ કરવાથી આર્થિક પ્રગતિ થાય છે.


આ અધિવાસ યોજાશે

૧૮મી જાન્યુઆરી: જલધિવાસ, ગાંધધિવાસ
૧૯મી જાન્યુઆરી: ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ, ધન્યાધિવાસ
૨૦મી જાન્યુઆરી: સુગરધિવાસ, ફલાધિવાસ, પુષ્પાધિવાસ
૨૧મી જાન્યુઆરી: મધ્યાધિવા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application