જાપાન હવે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને અવકાશમાં વીજળી ઉત્પન્ન કરશે અને તેને વાયર વિના પૃથ્વી પર મોકલશે. આ એક નવી ટેકનોલોજી છે, જેમાં ઉપગ્રહ સૂર્યપ્રકાશને વીજળીમાં પાંતરિત કરશે અને તેને માઇક્રોવેવના પમાં પૃથ્વી પર મોકલશે. આ વીજળી એક ખાસ એન્ટેના દ્રારા પ્રાપ્ત થશે.
જાપાન સ્પેસ સિસ્ટમ્સ દ્રારા વિકસાવવામાં આવેલા આ પ્રોજેકટને ઓહિસામા નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેકટ હેઠળ, ૧૮૦ કિલો વજનનો ઉપગ્રહ ૨૨ ચોરસ ફટના સોલાર પેનલ સાથે અવકાશમાં મોકલવામાં આવશે. આ પેનલ સૂર્યપ્રકાશને કેપ્ચર કરશે અને બેટરી ચાર્જ કરશે. વૈજ્ઞાનિકોના મતે આ ઉપગ્રહ હાલમાં લગભગ ૪૦૦ કિલોમીટરની ઐંચાઈથી માત્ર એક કિલોવોટ વીજળી મોકલશે. આ એક પરીક્ષણ મિશન છે, તેથી નાના એન્ટેનાનો ઉપયોગ કરવામાં આવશે.
સામાન્ય સૌર પેનલમાં, સૂર્યની ઊર્જાને વીજળીમાં પાંતરિત કરવામાં આવે છે અને વાયર દ્રારા મોકલવામાં આવે છે, પરંતુ અવકાશમાંથી મોકલવામાં આવતી વીજળીને માઇક્રોવેવમાં પાંતરિત કરવામાં આવશે અને વાયરલેસ રીતે મોકલવામાં આવશે. આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ સૂર્યની ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવાનો છે, જેથી પૃથ્વી પર સ્વચ્છ અને નવીનીકરણીય ઉર્જાનો પુરવઠો વધારી શકાય. જોકે, અમેરિકાએ વર્ષ ૨૦૨૦ માં પણ આવો જ પ્રયોગ કર્યેા હતો, પરંતુ તેની કિંમત ઘણી વધારે હતી.
સેકટર–૩૩ માં ઔધોગિક અને રમકડા પાર્કના પ્લાનમાં ગેરરીતિઓ મળી આવ્યા બાદ યમુના ઓથોરિટીએ ૧૬ ફાળવણીકારોના પ્લોટ ફાળવણી રદ કરી છે. એક કરતાં વધુ પ્લોટ ફાળવવાના કિસ્સામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સેકટર–૩૩ માં ઔધોગિક અને રમકડા પાર્કના પ્લાનમાં ગેરરીતિઓ મળી આવ્યા બાદ યમુના ઓથોરિટીએ ૧૬ ફાળવણીકારોના પ્લોટ ફાળવણી રદ કરી છે. એક કરતાં વધુ પ્લોટ ફાળવવાના કિસ્સામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
યમુના ઓથોરિટીએ વર્ષ ૨૦૨૦ માં ઔધોગિક અને રમકડા પાર્ક માટે કુલ ૮૫૫ પ્લોટનું આયોજન કયુ હતું. સેકટર–૨૯ માં ઔધોગિક પાર્ક માટે ૭૧૨ પ્લોટ અને સેકટર–૩૩ માં રમકડા પાર્ક માટે ૧૪૩ પ્લોટ હતા. આ બંને યોજનાઓમાં કુલ ૨૭૮૫ અરજીઓ મળી હતી. ચકાસણી દરમિયાન, ૨૨૯૦ અરજીઓ લાયક અને ૪૯૫ અયોગ્ય મળી. આ યોજના હેઠળ ૮૫૫ પ્લોટ માટે ડ્રો પ્રક્રિયા ૯ ઓકટોબર ૨૦૨૦ ના રોજ યોજાઈ હતી. આમાં ૭૦૦ અરજીઓ સફળ થઈ હતી. ડ્રોની તારીખે જ, ઓથોરિટીને માહિતી મળી કે એક જ પરિવારમાંથી એક કરતાં વધુ અરજીઓ સફળ થઈ છે. આવી સ્થિતિમાં, ૪૩ ફાળવણીઓ તપાસ હેઠળ રાખવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech