ચૂંટણી પંચે મંગળવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચેની લડાઈ અંગે પોતાનો નિર્ણય જાહેર કર્યો. જેમણે શરદ પવારના જૂથને મોટો ફટકો આપ્યો છે. છ મહિનાથી વધુ સમય સુધી ચાલેલી સુનાવણીમાં ચૂંટણી પંચે (NCP)માં ચાલી રહેલા વિવાદનું સમાધાન કર્યું. ચૂંટણી પંચે અજિત પવાર જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો અને અજિત પવાર જૂથને વાસ્તવિક NCP ગણાવ્યું.
અજિત પવારના જૂથને પક્ષનુંનામ અને ચિન્હ
ચૂંટણી પંચે NCPની લડાઈ અંગે 10 થી વધુ સુનાવણી કરી હતી અને આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ચૂંટણી પંચે અજીતના જૂથને વાસ્તવિક NCP માન્યું અને તેમને 'NCP નામ અને પ્રતીક' સોંપ્યું.
શરદ પવારને ત્રણ દિવસનો મળ્યો સમય
તમને જણાવી દઈએ કે આગામી રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે શરદ પવાર જૂથને તેમના રાજકીય પક્ષ માટે નામનો દાવો કરવા માટે સમય આપ્યો છે. આ ઉપરાંત ચૂંટણી પંચે કહ્યું કે તેણે પક્ષના નામ અને ચિન્હ અંગે દાવો કરવાનો વિકલ્પ આપ્યો છે અને બુધવારે બપોર સુધીમાં ત્રણ પસંદગીઓ આપવાનું કહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘવારીનો વધુ એક માર: અમૂલ દૂધના ભાવમાં આજ મધરાતથી 2 રૂપિયાનો વધારો લાગુ
April 30, 2025 07:45 PMસુરત શિક્ષિકા-વિદ્યાર્થી કેસ મામલે નવો વળાંક, ફરવા ગયા હોવાનો દાવો
April 30, 2025 07:02 PMરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech