ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે રહેતા પ્રતાપસંગ ખીમાજી જેઠવા નામના 60 વર્ષના ગરાસિયા વૃદ્ધ પોતાની વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે તેમની આગળ જતા આ જ વિસ્તારના રહીશ રણજીતસિંહ ઉમેદસિંહ જેઠવા અને બહાદુરસિંહ ઉમેદસિંહ જેઠવા નામના બે શખ્સોએ તેમને "અમારી પાછળ પાછળ કેમ આવો છો?"- તેમ કહેતા ફરિયાદી પ્રતાપસંગએ "હું તો અમારા ખેતરે રખોલું રાખવા માટે જાઉં છું"- તેમ કહ્યું હતું.
આનાથી ઉશ્કેરાયેલા બંને આરોપીઓ રણજીતસિંહ અને બહાદુરસિંહે પ્રતાપસંગ જેઠવાને બીભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારી, ઇજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech