શહેરના કુંભારવાડામાં જમીન માલિકે તેમની જમીન પર ગેરકાયદેસર મકાનોને તોડી પાડવા કોર્ટના ઓર્ડર સાથે પહોંચ્યા તે વેળાએ જમીન માલિકે એક વૃદ્વને કાલે તારું મકાન પાડી દેવાનું છે તેમ ધમકી આપતા, હ્રદય રોગનો હુમલો આવતા તેનું મોત થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
કુંભારવાડના ખાતરવાડી વિસ્તારમાં ચામુંડા સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે,
ઉદયભાઈના પિતા વલ્લભકલ્યાણ દ્વારા તેમની જમીનમાં છગનભાઈ ને જમીન વાવણી માટે આપેલ હતી જે બાદ ચાલીસ વર્ષ અગાઉ ત્યાં પ્લોટીંગ પાડી જે તે સમયે ભરવાડ સમાજના પરિવારોને દસ્તાવેજની પહોંચ આપી હતી અને ચાલીસ વર્ષ બાદ વલ્લભભાઇના પુત્ર ઉદયભાઈએ કોર્ટમાં કેસ કરી, કોર્ટના ઓર્ડરથી ખાતરવાડીમાં બે જે.સી.બી. મશીનો લાવી બે મકાન પાડી રહ્યા હતા તે વેળાએ ભીખાભાઇ સંગરામભાઈ ભોકળવાને કહેલ કે, તારું મકાન પણ કાલે પડી જવાનું છે. તેમ કહેતા ભીખાભાઈને લાગી આવતા હૃદય રોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું. આ બનાવમાં મૃતકના પરિવારજનોએ ઉદયભાઈ સામે જ્યાં સુધી એફ.આઈ.આર. ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરતા પોલીસે બંદોબસ્ત ગોઠવી દિધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅગ્નિકાંડના પાંચ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર 23મી મેના વધુ સુનાવણી
April 28, 2025 03:11 PMપાકિસ્તાનના વિદેશમંત્રી ઘાંઘા થયા, ચીન, સાઉદી અરેબિયા અને બ્રિટન પાસે મદદની ભીખ માંગી
April 28, 2025 03:10 PMસોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીતા રોકો: સુપ્રીમ
April 28, 2025 03:06 PMસોશિયલ મીડિયા અને OTT પર પોર્ન કન્ટેન્ટ બતાવી શકાશે નહીંઃ સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
April 28, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech