સદર ઈદગાહમાં સવારે 8 વાગ્યે ઈદની નમાજ પઢવામાં આવશે

  • June 06, 2025 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુસ્લિમ બિરાદરો આવતીકાલે ઈદ ઉલ અઝહા (બકરી ઈદ) ની ઉજવણી કરશે. શહેરની સદર ઇદગાહમાં સવારે 8:00 કલાકે ઈદની નમાજ પઢવવામાં આવશે.  સદર આમ સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા જણાવાયા મુજબ આવતીકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવનાર હોય સવારે વિશેષ નમાઝ અદા કરવામાં આવશે. ત્યારે સદર ઇદ ગાહ કે જે સદરમાં ઇગલ પેટ્રોલ પંપ પાસે આવેલી હોય તેમાં સવારે 8:00 કલાકે નમાઝ હાફિઝ અક્રમ બાપુ દ્વારા પઢાવવામાં આવશે તેમજ સદર જુમ્મા મસ્જિદમાં સવારે સાત કલાકે ઈદુલ અઝહાની નમાઝ મોલાના સૈયદ અઝરૂદિનન બાપુ કાસમિયા દ્વારા પઢાવવામાં આવશે. તેમ સદર આમ સુન્ની મુસ્લિમ કમિટીના પ્રમુખ યાકુભાઈ દલવાણી, ઉપપ્રમુખ હબીબભાઈ કટારીયા, મંત્રી સાજીદભાઈ ખોખર દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application