દિલ્હી રામલીલા મહાસંઘે સનાતન ધર્મ વિરોધીનું પૂતળું બનાવીને ચંપલનો હાર પહેરાવી વિરોધ કર્યેા હતો. આ ઉપરાંત રામલીલા મહાસંઘે દિલ્હીમાં યોજાનારી રામલીલાને લઈને એક બેઠક યોજી હતી, જેમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે રાવણ, કુંભકરણ અને મેઘનાથની સાથે દશેરાના દિવસે સનાતન વિરોધીઓના પૂતળા પણ બાળવામાં આવશે.
લાલ કિલ્લાના મેદાનમાં યોજાયેલી આ શાંતિપૂર્ણ વિરોધ સભામાં રામલીલામાંથી આવેલા તમામ અધિકારીઓ સનાતન વિદ્ધ સતત નિવેદનો આપતા નેતાઓના નિવેદનોથી ભારે નારાજ હતા. બેઠકમાં મહાસંઘના આગેવાનોના તમામ પ્રતિનિધિઓએ સનાતન વિરોધી નેતાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. રામલીલા મહાસંઘે જાહેરાત કરી છે કે આ વખતે દશેરા પર રાવણ, કુંભકરણ અને મેઘનાથના પૂતળાની સાથે સનાતન ધર્મના વિરોધીઓના પૂતળા પણ બાળવામાં આવશે.
શ્રી રામલીલા મહાસંઘના પ્રમુખ અર્જુન કુમારે સરકાર પાસે માંગણી કરતાં જણાવ્યું હતું કે જે રીતે સરકાર કાવડ યાત્રા દરમિયાન આયોજિત શિબિરોમાં મફત વીજળી વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડે છે તે જ રીતે તમામ રામલીલા સમિતિઓને મફત વીજળી આપવામાં આવે. અને આ વર્ષથી જ દશેરાની સુવિધાઓ દિવસ દરમિયાન ગ્રીન ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવે. દિલ્હીમાં ૬૫૦ થી વધુ સ્થળોએ નાની–મોટી રામલીલાઓનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાનથી લઈને સોનિયા ગાંધી, રાહત્પલ ગાંધી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ દશેરા પર આ રામલીલાઓમાં ભાગ લે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMજેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો
September 20, 2024 12:14 PMગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી
September 20, 2024 12:13 PMગોંડલમાં પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો ઝેર પી આપઘાત
September 20, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech