હાલ લક્ષ્મીનગર મેઈન રોડ, બરસાના ૧ માં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મોરબી રોડ પર રહેતા પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ શારીરિક- માનસિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવી છે.
બી.એ સુધીનો અભ્યાસ કરનાર પરિણીતા ખ્યાતિબેન(ઉ.વ ૩૨) એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર સેટેલાઇટ ચોક, રાજ રેસીડેન્સી શેરી નં.૨ માં રહેતા પતિ પાર્થ લીંબાસીયા, સસરા દેવરાજભાઈ, સાસુ ગીતાબેન અને નણંદ વિરાલીબેન ઠુંમર વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ખ્યાતિબેને ફરિયાદમાં જણાવ્યા હતું કે, તેમના લગ્ન બે વર્ષ પૂર્વે પાર્થ લીંબાસીયા સાથે થયા હતા. લગ્નના બે માસ બાદથી જ સાસુ સસરા નાની નાની વાતોમાં મ્હેણાં ટોણા મારવા લાગ્યા હતાં. નણંદ જ્યારે ઘરે રોકાવા આવે ત્યારે મારા માતા-પિતા જેમ કહે તેમ જ તમારે કરવાનું કહી માનસિક ત્રાસ આપતા. સાસુ- સસરા ફરિયાદી વિરૂધ્ધ પતિની ચડામણી કરતા જેથી પતિ પણ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં સાસુ કહેતા સવારમાં ખાલી ચા અને બપોરે બે રોટલી જ ખાવાની કહી ટોર્ચર કરતા. જ્યારે આ બાબતે પતિને જણાવતા પતિ ઝઘડો કરતો હતો.
પતિ પરિણીતાને પાડોશીઓ સાથે કોઇ વાતચીત કરવાની પણ મનાઈ કરતો હતો.આઠેક માસ પૂર્વે નણંદ રોકાવા આવ્યા હતાં ત્યારે ઝઘડો થતા સાસુ-સસરાએ કહ્યું હતું કે, વીરાલી કહે તેમજ કરવાનું તને પોસાય તો અહીં રહે. જેથી પરિણીતા માવતરના ઘરે રિસામણે ચાલી ગઇ હતી.
પરિણીતાના ભાઈના લગ્ન હતા ત્યારે પરિણીતાના સાસરિયા પક્ષને આમંત્રણ આપ્યું હતું. પરંતુ કોઈ આવ્યું ન હતું. બાદમાં સમાધાન કરવાના ઘણી બેઠકો કરવા છતાં કોઈ ઉકેલ આવેલ ન હતો. જેથી અંતે બે માસ પૂર્વે પરિણીતા પોતાની રીતે સાસરીયે ચાલી ગઇ હતી. થોડા દિવસ પહેલા પરિણીતાની માતાની તબિયત લથડતા પિયર રોકવા ગઇ હતી. આ દરમિયાન પતિએ તેને નોટિસ મોકલાવી હતી.જેથી પતિને ફોન કરતા ફોન ન ઉપડતા અને મેસેજમાં જવાબ ન આપતા અંતે પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech