આજે ગુજરાતના કચ્છ જિલ્લામાં બેવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર જિલ્લામાં રાપરથી ૧૬ કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. આના એક મિનિટ પહેલા જ, 2.8 ની તીવ્રતાનો બીજો ભૂકંપ અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં સ્થિત હતું.
જિલ્લા વહીવટી તંત્રે માહિતી આપી હતી કે, અત્યારસુધી આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. જોકે, હળવા ભૂકંપના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
2001ના વિનાશક ભૂકંપમાં 13,800 લોકો માર્યા ગયા હતા
ગુજરાતનો કચ્છ જિલ્લો ભૂકંપની દ્રષ્ટિએ 'અત્યંત ઉચ્ચ જોખમી' વિસ્તારોમાંનો એક છે. અહીં ઘણીવાર ઓછી તીવ્રતાના ભૂકંપ આવે છે. તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી 2001માં આ જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપમાં ભારે વિનાશ થયો હતો. જેમાં 13,800 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 1.67 લાખથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે ભયાનક આફતમાં જિલ્લાના ઘણા શહેરો અને ગામડાઓને પણ ભારે નુકસાન થયું હતું. નિષ્ણાતોના મતે, કચ્છની ભૂગોળ તેને ભૂકંપ માટે સંવેદનશીલ બનાવે છે, આથી અહીં તકેદારી રાખવી જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગટર લાઈનના ખોદકામમાં પાણીની લાઈન તુટી
May 13, 2025 03:57 PMગારિયાધાર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
May 13, 2025 03:56 PMજાહેરમાં વરલી-મટકાનો જુગાર રમતો મહુવાનો શખ્સ ઝડપાયો
May 13, 2025 03:55 PMજગન્નાથજીની રથયાત્રામાં ભગવાનની નયનરમ્ય નવી મૂર્તિઓ સામેલ કરાશે
May 13, 2025 03:54 PMનિમુબેનના નેતૃત્વમાં નિષ્કલંક મહાદેવને આધુનિક યાત્રાધામ બનાવવાની દિશામાં વિશેષ પગલાં
May 13, 2025 03:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech