કેપ્ટન હાર્દિક પંડયા, રોહીત શમર્િ સહિતના ખેલાડીઓ ચાર દિવસનું મીની વેકેશન મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ગ્રીન્સમાં પરિવાર સાથે માણવા આવી પહોંચ્યા
આઇપીએલમાં મુંબઇ ઇન્ડીયન્સ જયારે પણ સળંગ પરાજયનો સામનો કરે છે ત્યારબાદ ટીમના માલિક નીતા અંબાણી અને ટીમને દ્વારકાધીશ યાદ આવે છે અને તેઓ દર્શન માટે આવતા હોય છે, આ વખતે પણ મુંબઇ ઇન્ડીયન્સની શઆત ખુબ ખરાબ રહી છે, પહેલા ત્રણ મેચમાં પરાજય થયો છે, કદાચ એટલા માટે જ મુંબઇ ઇન્ડીયન્સ ટીમનું જામનગરમાં આગમન થયું છે, કહેવાય છે કે મીની વેકેશન માણવા ટીમ આવી છે, પરંતુ એવું લાગે છે કે વાસ્તવમાં આ ટીમ દ્વારકા જઇને દર્શન કરશે અને પોતાની જુની પરંપરા જાળવશે.
ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે, જયારે પણ મુંબઇ ઇન્ડીયન્સનો દેખાવ સારો ન રહેતા નીતા અંબાણી માથુ ટેકવવા માટે દ્વારકા આવ્યા હતાં અને ટીમના પરર્ફોમન્સમાં ફરક પડી જતો હોવાનું એમને લાગતા વારંવાર તેઓ અહીં આવતા હતાં, આ વખતે પણ શઆત સારી નહીં હોવાથી બની શકે કે મુંબઇ ઇન્ડીયન્સની ટીમ દ્વારકાધીશના ચરણોમાં નમન કરવા જશે.
જામનગરના એર પોર્ટ પર આજે ફરીથી મુંબઈ ઇન્ડિયન્સની ક્રિકેટ ટીમનું આગમન થયું છે, અને આઇપીએલમાં ચાર દિવસનો બ્રેક હોવાથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જામનગરની મહેમાન બની છે, અને રિલાયન્સ ગ્રીન્સમાં પોતાના પરિવાર સાથે મીની વેકેશન માણશે.
મુંબઈ ઈન્ડીયન્સની ટીમના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા, પૂર્વ કેપ્ટન રોહિત શમર્,િ ઉપરાંત અર્જુન તેંડુલકર, તિલક વમર્,િ ઇશાન કિશન, કવેના મફાકા સહિતના ક્રિકેટ ખેલાડીઓ આજે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં.
જેમાં કેટલાક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે પણ આવી પહોંચ્યા હતા અને તમામનું એરપોર્ટ પર રિલાયન્સ કંપનીના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું અને તમામને સ્પેશિયલ લક્ઝરી બસ મારફતે મોટી ખાવડી સ્થિત રિલાઇન્સ ગ્રીન્સમાં લઈ જવામાં આવ્યા છે અને તેઓ શનિવાર સુધીનું ચાર દિવસનું મીની વેકેશન માણશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech