દ્વારકા-સોમનાથ હાઇવેની સાથે દ્વારકા-જામનગર હાઈવે પણ બનશે હરિયાળા

  • April 15, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

20 હજાર રોપાનું દ્વારકા-સોમનાથ હાઇવે પર રોપણ કરાશે


રાજયના વન વિભાગ દ્વારા સો કરોડના ખર્ચે સોમનાથ દ્વારકા રોડ પર વૃક્ષારોપણ કરવા જતાં દ્વારકા અને જામનગર જિલ્લાનું પણ સુલભ બન્યુ હતુ.



તાજેતરમાં ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વૃક્ષારોપણમાં દ્વારકાથી સોમનાથ રોડ જે સમુદ્ર તટ પરનો કોસ્ટલ હાઇવે ગણાય છે તેના બન્ને તરફ વૃક્ષારોપણ કરવા આયોજન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા આ વખતે ખાનગી એજન્સીને કામ આપવા નક્કી થયું હતું.



જે 100 કરોડનું કામ હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના પ્રયાસોથી આ 100 કરોડનું કામ સદ્દભાવના ટ્રસ્ટને તો મળ્યું પણ સેવાકીય આ ટ્રસ્ટ દ્વારા સામેથી દાતાની મદદથી બીજા 100 કરોડ સરકારને ભેગા કરી દેવાયા તે પણ એડવાન્સમાં...



હવે સોમનાથ દ્વારકા હાઇવે પર વૃક્ષારોપણ થયું તથા ત્રણ વર્ષ સુધી રોપાની જાળવણી માટે પણ કરાર નક્કી થયો પણ 40 હજાર રોપાના લક્ષ્યાંક સામે 20 હજારમાં આખો હાઇવે બન્ને તરફ પરિપૂર્ણ થઈ ગયો હતો. જે બાદ બાકી બચ્યા 20 હજાર રોપા તેને વન મંત્રી દ્વારા દ્વારકા તથા જામનગર જિલ્લામાં નાખવા જણાવતા વિસ હજાર રોપાઓ દ્વારકા તથા જામનગરના વિવિધ હાઇવે પર નાખવામાં આવતા થોડા સમયમાં દ્વારકા સોમનાથ હાઇવે સાથે દ્વારકા તથા જામનગર જિલ્લાના હાઇવે પણ હરિયાળા થઈ જશે. આમ હાલારના ધોરીમાર્ગો પણ ટૂંક સમયમાં હરિયાળા બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application