દ્વારકાના પત્રકારને મારી નાખવાની ધમકી

  • September 23, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના શખ્સ સામે ફરિયાદ

દ્વારકામાં રહેતા અને પ્રેસ પ્રતિનિધિ તરીકે કામ કરતા ધવલભાઈ પંકજભાઈ જટણીયા નામના 34 વર્ષના યુવાનને ગત તારીખ 19 મીના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના સમયે રાજકોટમાં રામાપીર ચોકડી વિસ્તારમાં રહેતા આકાશ અમિતભાઈ તેજુરા ઠક્કર નામના શખ્સ દ્વારા કોઈ કારણોસર જુદા જુદા સમયે કુલ ત્રણ વખત ફોન કરી અને બિભત્સ ગાળો કાઢી, "માર મારીને પાડી દઈશ, કોઈને શોધ્યો નહીં મળે, હું ડોન છું અને ડોન રહીશ. તારાથી થાય તે કરી લે"- તે પ્રકારની ધમકી આપી અને દ્વારકા આવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


દ્વારકામાં સગીરાના અપહરણ સબબ ફરિયાદ

દ્વારકામાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની એવા એક પરિવારની સગીર વયની પુત્રીને રૂપેણ બંદર વિસ્તારમાં રહેતો કાનજી ઉર્ફે કાનો નરશીભાઈ વાંજા નામનો શખ્સ લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદાથી સગીરાના પરિવારજનોના વાલીપણામાંથી તેણીનું અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના ભાઈ દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application