જામનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડના સંચાલકો ની આગમચેતી ને લઈને નુકસાની થતી અટકી

  • November 27, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર- કાલાવડ સહિતના તમામ માર્કેટીંગ યાર્ડમાં ચાર દિવસથી આવક બંધ રખાઇ: વરસાદ પણ નહીંવત

જામનગર શહેર- કાલાવડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. પરંતુ માર્કેટિંગ યાર્ડના સંચાલકોની આગમચેતી ને લઈને નુકસાની થતી અટકી હતી. જોકે વરસાદ પણ નહીં વત પડ્યો છે.
જામનગર શહેર અને જિલ્લામાં પણ સૌરાષ્ટ્રની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. પરંતુ કમોસમી વરસાદને લઈને જામનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કોઈ નુકસાની થયા ના અહેવાલો મળ્યા નથી.
જામનગરના હાપા માર્કેટ યાર્ડ ઉપરાંત કાલાવડ માર્કેટિંગ યાર્ડ, જામજોધપુર અને લાલપુર માર્કેટિંગ યાર્ડ કે જ્યાં હવામાન ખાતા દ્વારા મળેલી આગાહીને પગલે મગફળી - કપાસ સહિતની જુદી જુદી જણસની આવકને ચાર દિવસ માટે બંધ રખાવાઇ હતી. જયારે યાર્ડમાં રાખવામાં આવેલો મગફળી- મરચા સહિતના જથ્થો પ્લેટફોર્મ પર અથવા તો સલામત રાખવામાં આવ્યો હતો, જેથી કમોસમી વરસાદના કારણે નુકશાની ના અહેવાલો મળ્યા નથી.
જોકે જામનગરમાં માત્ર સામાન્ય છાંટા પડ્યા હતા. કાલાવડ પંથકમાં વહેલી સવારે કરા સાથેનો છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
જોકે બપોર પછી વરસાદ રોકાઈ ગયો હતો, જેથી જામનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં નુકસાની ના કોઈ ખાસ અહેવાલો મળ્યા નથી.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળી નો જથ્થો પ્લેટ ફોર્મની બહાર રાખવામાં આવ્યો હતો, પરંતુ તેને સંપૂર્ણપણે ઢાંકીને રખાયો હોવાથી તેમજ માત્ર સામાન્ય છાંટા પડ્યા હોવાથી કોઈ નુકસાની થઈ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application