રાજકોટ : પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં આવેલા દાદર ખાતે ઇલેકટ્રોનિક ઇન્ટરલોકિંગની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આજની સૌરાષ્ટ્ર્ર એકસપ્રેસ અને કાલની સૌરાષ્ટ્ર્ર મેલ ટ્રેનમાં ફેરફાર થનાર છે. રાજકોટના સિનિયર ડીસીએમ સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આજે તા. ૧૫.૦૫.૨૦૨૬ના રોજ રાત્રે પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર– દાદર સૌરાષ્ટ્ર્ર એકસપ્રેસ બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ આવતીકાલે તા.૧૬. ૦૫. ૨૦૨૬ના રોજ સવારે ઓખાથી ઉપડતી ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખા–દાદર સૌરાષ્ટ્ર્ર મેલ ઓખાથી ૨ કલાક ૧૫ મિનિટ મોડી ઉપડવા માટે રિશેડુલ કરવામાં આવી છે. આ સાથે આ ટ્રેન બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.