ભારે વરસાદ-અતિવૃષ્ટિના કારણે રાજકોટ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના પાંચ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે (ઓવર ટોપિંગ) તેમજ કોઝ વે ડેમેજ થયા છે. જેના લીધે આ માર્ગો પર વાહન વ્યવહાર બંધ થયો છે.
આર. એન્ડ બી. પંચાયતની યાદીમાં જણાવાયા મુજબ
(૧) રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો મેરવદર-વડાળા રોડ કોઝવે ડેમેજ થવાથી બંધ કરાયો છે. જેનાથી મેરવદર ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. જેના વિકલ્પમાં ગણોદ તણસવા મેરવદર રોડ શરૂ કરાયો છે. આ રોડનું રિપેરિંગ કરીને ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.
(૨) ઉપલેટા તાલુકાનો પાનેલી-સાતવડી રોડ માઈનોર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન પરથી પાણી પસાર થતું હોવાથી બંધ થયો છે. જેનાથી સાતવડી ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. આ માર્ગ પાણી ઉતર્યા બાદ રોડ ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.
(૩) ઉપલેટા તાલુકાનો ગઢાળા એપ્રોચ રોડ કોઝ વે ડેમેજ થવાના લીધે બંધ થયો છે. જેનાથી ગઢાળા ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. આ રોડ સામે ગઢાળા-કેરાળા રોડ શરૂ કરાયો છે. રિપેરિંગ કરીને આ રોડ ટ્રાફિક માટે શરૂ કરવાામાં આવશે.
(૪) ધોરાજી તાલુકાનો છત્રાસા-વંથલી રોડ અતિભારે વરસાદના લીધે નદીમાં પૂર આવતા કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવાથી બંધ થયો છે. જેનાથી છત્રાસા ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. આ માર્ગ પાણી ઓસર્યા બાદ રસ્તો તુરંત શરૂ કરાશે.
(૫) ધોરાજી તાલુકાનો છત્રાસા-ઝાપોદડ રોડ કોઝ વે પર પાણી ફરી વળતાં તેમજ કોઝ વે ડેમેજ થવાથી બંધ થયો છે. આ રોડ પાણી ઓસર્યા બાદ રોડની મરામત કરીને ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી-1 અને વેણુ-2 ડેમના હેઠવાસના ગામલોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી
September 18, 2024 11:46 PMLebanon Blast: લેબનોનમાં પેજર્સ પછી વોકી-ટોકી બ્લાસ્ટ, 9ના મોત
September 18, 2024 11:44 PMBihar News: નવાદામાં દબંગોએ 60 થી વધુ ઘરોને લગાડી આગ, કર્યો ગોળીબાર; પોલીસે સંભાળ્યો ચાર્જ
September 18, 2024 11:43 PMસ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાયાવદર ખાતે સ્વચ્છતા રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
September 18, 2024 11:40 PMશિવરાજપુર ગામે પૌરાણિક દરગાહ ખાતે મલ કુસ્તી સ્પર્ધા યોજાઈ
September 18, 2024 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech