ચોમાસામાં દરેક વ્યક્તિ ચા અને કોફીની મજા લે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ચોમાસામાં કાદવ, જીવજંતુઓ અને રોગોનું પ્રમાણ વધુ હોય છે. તેથી, જો સાવચેતી રાખવી જોઈએ ઘણીવાર લોકો સવારે ઉઠ્યા પછી લીંબુ પાણી પીવે છે, પરંતુ ચોમાસામાં આ પાણીમાં હળદર ઉમેરવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે.
હૂંફાળા પાણીમાં લીંબુનો રસ અને એક ચપટી હળદર મિક્સ કરો, મધ ઉમેરો અને સવારે ખાલી પેટ આ પાણી પીવો. કેટલાક લોકો તેના ફાયદા વધારવા માટે તેમાં છીણેલું આદુ ઉમેરીને પાણીને ગાળી લે છે, જેથી આ પાણીમાં લીંબુ અને હળદરની સાથે આદુના ગુણ પણ મળે છે. તેથી તે પાણીનો વધુ ફાયદો થાય છે.
હળદર લીંબુ પાણીના ફાયદા
હળદર લીંબુનુ પાણી સવારે ન માત્ર મૂડને તાજું કરે છે પણ શરીરને હાઇડ્રેટ પણ કરે છે .
આ એક પ્રકારનું ટોનિક છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જેથી શરીરમાંથી ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાઈ છે.
લીંબુમાં ક્ષાર જોવા મળે છે જે બેક્ટેરિયા, ફૂગ, મોલ્ડ, યીસ્ટ જેવા પેથોજેન્સનો નાશ કરે છે અને યકૃત અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
કેલ્શિયમથી ભરપૂર લીંબુ, વિટામિન સી સાથે, યકૃતમાં જાય છે, જ્યાં તેઓ ચરબીઘટાડે છે. તેનાથીશરીર ઉતારવામાં પણ મદદ થાય છે.
મધમાં વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે, જે મધને એક સારો એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટિફંગલ એજન્ટ બનાવે છે.
હળદર એક એવી ઔષધી છે, જે સવારના સમયે શરીરને ઘણા ફાયદાઓ દે છે. તેમાં રહેલું કર્ક્યુમિન રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે, તેથી તેને કુદરતી એન્ટિબાયોટિક અને પેઈન કિલર પણ કહેવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech