કેન્દ્ર સરકારના પૂર્વમંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ.વલ્લભ કથીરિયાને મળી મોટી જવાબદારી

  • August 17, 2023 01:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ.વલ્લભ કથીરિયાને મોટી જવાબદારી મળી છે. તેમને રાજકોટમાં આકાર પામનારી નવી એમ્સના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આવતીકાલે રાજકોટ આવી રહેલા ડાયરેક્ટરની હાજરીમાં ચાર્જ સંભાળી શકે છે. મહત્વનું છે કે ડૉ.કથીરિયા અગાઉ ગૌ-સેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ અને કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.



ભારત સરકારે રાજકોટના ભૂતપૂર્વ લોકસભા સાંસદ અને કેન્દ્રમાં ભૂતપૂર્વ રાજ્ય મંત્રી ડૉ. વલ્લભ કથિરિયાની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરી છે. રાજકોટમાં નવનિર્માણ થઇ રહેલી એમ્સના પ્રમુખ તરીકે મોદી સરકારે ડૉ.વલ્લભ કથીરિયાની નિમણૂંક કરી છે. તેઓ આવતીકાલે ડાયરેકટરોની હાજરીમાં ચાર્જ લઇ શકે છે. ડો.કથીરિયાને કેન્દ્ર સરકારે મોટી જવાબદારી સોંપી છે. આ પહેલા ડો.કથીરિયા ગૌસેવાના અધ્યક્ષ અને કામધેનુ આયોગના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application