ધ્રોલમાં પરણિતાનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • July 04, 2023 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પતિએ માવતરે જવાની ના પાડતાં મનમાં લાગી આવવાથી પગલું ભર્યું : શોકની લાગણી

ધ્રોલમાં રાધે પાર્ક સોસાયટીમાં રહેતી એક પરણીતાએ પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મ હત્યા કરી લીધી છે. પતિએ માવતરે જવાની ના પાડતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.
ધ્રોલમાં રાધે પાર્ક સોસાયટીમાં રહેતી ભાનુબેન ઉર્ફે ભાવુ ભુપતભાઈ ટારીયા નામની ૨૪ વર્ષની યુવતીએ ગઈ કાલે પોતાના ઘેર સાડી વડે ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી છે. આ બનાવ અંગે મૃતકના પતિ ભૂપત રૂડાભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવતીને પોતાના માવતરે આંટો મારવા જવું હતું, પરંતુ  હમણાં માતા-પિતા બહાર ગામ ગયા હોવાથી તે આવી જાય ત્યાર બાદ જવાનું કહેતાં મનમાં લાગી આવવાથી આત્મઘાતી પગલું ભરી લીધાનું જાહેર થયું છે. દરમ્યાનમાં પોલીસ દ્વારા આ બનાવ સબંધે તપાસ આગળ ધપાવવામાં આવી છે.

**
જામનગરની પરણીતાને દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સિતમ

જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં રહેતી એક પરણીતાને દહેજભૂખ્યા સાસરીયાઓએ માવતરે થી દહેજ લઇ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢતાં સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં રણજીતનગર જી-૫ ખાતે રહેતી રીનાબેન નિલેશભાઈ રાઠોડ નામની ૨૯ વર્ષની પરણીતાએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને પતિ, સાસુ અને સસરા દહેજના કારણે દુ:ખ ત્રાસ ગુજારતા હોવાથી માવતરેથી વધુ દહેજ લઈ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢી હોવાનું જણાવ્યું હતું.
જેથી મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે રીનાબેન રાઠોડની ફરીયાદના આધારે તેણીના પતિ નિલેશ વૃજલાલ રાઠોડ, સાસુ શોભનાબેન નવનીતભાઈ ઝાલા અને સસરા નવનીત દિનેશભાઈ ઝાલા (રહે. બધા મયુરનગર, જામનગર) સામે આઇપીસી ૪૯૮(એ), દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application