રણજીતસાગર રોડ પર ઢોસા હાઉસ રેસ્ટોરન્ટ મંજૂરી વગર ચાલુ કરી દેવાતાં ફરી વખત સીલ

  • March 07, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટીફીકેટ વિના સીલ કરાયેલા રેસ્ટોરન્ટમાંથી માલ સામાન કાઢવા મંજૂરી મેળવ્યા બાદ ગેરકાયદે રેસ્ટોરન્ટ ચાલુ કરી દેવાયું હતું


જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા ઢોસા હાઉસને મહાનગરપાલિકાના તંત્રની મંજૂરી વગર પુન: શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે અંગેની માહિતી મળતા જ આજે મહાનગરપાલિકા દ્વારા તેને ફરીથી બંધ કરાવવા આવ્યું હતું અને સીલ લગાવી દેવાયું હતું.


જામનગર શહેરમાં રણજીતસાગર માર્ગે સુભાષ પાર્ક પાસે ઢોસા હાઉસ નામના રેસ્ટોરન્ટને  રાજકોટના અગ્નિ કાંડ સમયમાં  જરૂરી સુવિધા અને મંજૂરી ન અભાવે  સીલ કરવામાં આવ્યું હતું જે રેસ્ટોરન્ટની બાંધકામની પણ મંજૂરી નથી તેમજ ફાયર નું એનઓસી મેળવાયું ન હોવાના કારણે સીલ કરવામાં આવ્યું હતું.


ત્યાર પછી  દુકાન માલિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, કે અમારે દુકાન ચાલુ નથી કરવી માત્ર માલ કાઢવા માટે સીલ ખોલવા આવે. આથી તેઓની  વિનંતીથી મહાનગરપાલિકા દ્વારા  સીલ ખોલી આપ્યા પછી દુકાન માલિકને તેવું લાગ્યું કે હવે આ પ્રકરણ ઠંડુ પડી ગયું છે. તો ફરીથી વગર મંજૂરી એ ઢોસા હાઉસને ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

આ અંગેની જાણ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર શાખાને થતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી અને તેમની ટીમ ઉપરાંત ફાયર વિભાગની ટુકડી ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ટોરન્ટને પુન: સીલિંગ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application