ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણીમાં ધૂરંધરોની દાવેદારી: માહોલ ગરમાયો

  • August 31, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ નાગરિક બેંક ની ચુંટણી આગામી તા.૧૫ નાં યોજાનાર છે.ત્યારે રાજકીય માથાઓ એ ઉમેદવારી કરતા માહોલ ગરમાયો છે.સામાન્ય રીતે બેંક ની ચુંટણીનું ખાસ મહત્વ હોતુ નથી.પણ ગોંડલ ની રાજકીય તાસીર હંમેંશા ગરમ રહીછે.ત્યારે બેંક ની ચુંટણીમાં ધારાસભાની ચુંટણી જેવો માહોલ સર્જાયો છે. નાગરિક બેંક નાં કુલ ૧૧ ડીરેકટર માટે યોજાનાર ચૂંટણી માં ૩૮ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.જેમાં હાલ જુનાગઢ જેલ માં રહેલા ગણેશ ઉર્ફે યોતિરાદિત્યસિંહ જાડેજા ઉપરાંત તેમના પિતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,પુર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલનાં પત્નિ શારદાબેન, વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા,પુર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ, જગદીશભાઈ સાટોડીયા સહિતે ઉમેદવારી નોંધાવી હોય ઉતેજના નો માહોલ સર્જાયો છે. ભાજપ તથા કોંગ્રેસ પ્રેરીત પેનલો ચુંટણી લડશે એ નિશ્ચિત છે.પણ હાલ ઉમેદવારો નો શંભુમેળો સર્જાયો હોય ઉમેદવારી પરત ખેંચવાની તા.ત્રણ અને ચાર બાદ પાંચમી તારીખે આખરી ચિત્ર સ્પષ્ટ્ર થશે. નાગરિક બેંક ની ચુંટણીમાં ભાજપ તથા કોંગ્રેસ પ્રેરીત પેનલો વચ્ચે બળાબળનાં પારખા થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application