એજન્સીની કાર્યક્ષમતા સામે પ્રશ્નાર્થ
ખંભાળિયા શહેરમાં તમામ સાત બોર્ડમાં કચરો એકત્ર કરવા માટે ખાસ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ તેની કામગીરી ખૂબ જ નબળી અને અનિયમિત હોવાથી એજન્સી સામે બેદરકારીની ફરિયાદો ઉઠવા પામી છે.
ખંભાળિયા નગરપાલિકા વિસ્તાર માટે તરંગી યોજનાની જેમ વાર્ષિક આશરે રૂપિયા દોઢ કરોડના ખર્ચે ચોક્કસ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ફરજ બજાવતા 40 જેટલા રોજમદાર કર્મચારીઓ તેમજ ડ્રાયવરોનો પગાર ચાલુ હોવા છતાં પણ આ યોજના અમલમાં છે અને પાલિકા ઉપર પગારનું ડેમરેજ ચડે છે. આ વચ્ચે કચરાની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાનું જોવા મળી રહ્યું છે.
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો દરરોજ ઉપાડવાનો હોય છે. તેમ છતાં અહીંના પોસ વિસ્તાર એવા રામનાથ, એસ.એન.ડી.ટી.ના વોર્ડ નંબર 7 માં બે દિવસે એક વખત કચરો ઉપાડવામાં આવે છે. વિસ્તારમાં પહોંચી ન વળતા આ ડોર ટુ ડોર કચરા કલેક્શનવાળા કર્મચારીઓ પાલિકાના વિસ્તારોમાં પહોંચી ન શકતા હોવાની બાબતો વચ્ચે આ વાનમાં અન્ય એક સાથી કર્મચારીને બદલે ફક્ત ડ્રાઇવર જ આવે છે અને લોકોએ તેમાં કચરો નાખવાનો રહે છે.
તાજેતરમાં આ વિસ્તારમાં ચાર-પાંચ દિવસ કચરાનું વાહન ન આવતા આ વિસ્તારના રહીશોને પોતપોતાના ઘરમાં કચરો એકત્ર થઈ જતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ વાહનમાં સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ નાખવાનો હોય છે. તેને બદલે તમામ ખાનામાં બધો કચરો એક સાથે જ નાખવામાં આવે છે.
કચરાનું કોઈ વાહન બગડે તો તુરંત વૈકલ્પિક વ્યવસ્થા કરવાના બદલે આ વિસ્તારમાં બીજે દિવસે કચરો એકત્ર કરવામાં આવે છે. થોડા સમય પૂર્વે કચરાના વાહનમાં કાટમાળ, પાણાં નાખી અને તેનું વજન વધુ કરાવવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. આ ઉપરાંત અનેક વખત સફાઈ અધિકારીઓ દ્વારા તેઓને રંગે હાથે પકડીને દંડ પણ કરાયો હતો. આમ, એજન્સીની આ ગંભીર બેદરકારી શહેરભરમાં ભારે ટીકાપાત્ર બની છે. આ મુદ્દે અધિકારીઓ દ્વારા એજન્સી સામે પગલાં લેવા માટેની માંગ પણ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech