ગણેશની પૂજામાં ભૂલથી પણ ન ચઢાવો આ 4 વસ્તુઓ,  ગજાનન થઈ જશે ગુસ્સે

  • September 09, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણેશ ચતુર્થીના અવસર પર દરેક લોકો ભગવાન ગણેશની પૂજામાં વ્યસ્ત છે. ભગવાન ગણેશને પ્રથમ દેવતા માનવામાં આવે છે અને લોકો કોઈપણ શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા કરે છે. ગણેશોત્સવ અવસર પર લોકો બાપ્પાની પૂજામાં તલ્લીન જોવા મળે છે. દર વખતની જેમ આ વખતે પણ અનેક લોકોએ પોતાના ઘરોમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી છે. લોકો ભગવાનને મોદક સહિત વિવિધ વસ્તુઓ અર્પણ કરી રહ્યા છે. પરંતુ તમારે ઘણી બાબતોનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. કેટલીક એવી વસ્તુઓ છે જે ભગવાન ગણેશને ન ચઢાવવી જોઈએ નહીં તો ગજાનન ગુસ્સે થઈ શકે છે.


હિન્દુ ધર્મમાં પૂજાના કેટલાક નિયમો સમજાવવામાં આવ્યા છે. જો ભક્ત આ પ્રમાણે પૂજા કરે છે તો તેને ન માત્ર લાભ મળે છે પરંતુ ભગવાન પણ ભક્તો પર પ્રસન્ન રહે છે. તમને 4 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે ભગવાન ગણેશને ક્યારેય ભૂલથી પણ ન ચઢાવવી જોઈએ અને આ 4 વસ્તુઓને હંમેશા ભગવાન ગણેશથી દૂર રાખવી જોઈએ.


સફેદ વસ્તુ

ભગવાન ગણેશને સફેદ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ. તેનાથી ભગવાન ગણેશ ક્રોધિત થાય છે. માન્યતા અનુસાર ચંદ્રદેવ એકવાર ભગવાન ગણેશ પર હસ્યા હતા. જેના કારણે ભગવાન ગણેશ ગુસ્સે થયા અને ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો. ભગવાન ગણેશને ચંદ્ર સંબંધિત કંઈપણ અર્પણ કરવું જોઈએ નહીં. જો તમે ભગવાન ગણેશને સફેદ ફૂલ અથવા કોઈ સફેદ કપડું અર્પણ કરો છો, તો પૂજા સફળ નથી થતી અને ભગવાન ગણેશ પણ ખૂબ ક્રોધિત થાય છે.


ચોખા

ચોખા પણ સફેદ હોય છે. તૂટેલા ચોખા ક્યારેય ભગવાન ગણેશને ન ચઢાવવા જોઈએ. આમ કરવાથી ભગવાન ગણેશ ક્રોધિત થઈ જાય છે અને ભક્તોને ઈચ્છિત ફળ નથી જો તમે ભગવાન ગણેશની પૂજા કરી રહ્યા છો તો ભૂલથી પણ ન ચઢાવો 4 વસ્તુઓ, ગજાનન ગુસ્સે થાય છે. મળતું.


કેતકી ફૂલ


જો તમે નોંધ્યું હોય તો કેતકીનું ફૂલ પણ સફેદ-પીળા રંગનું હોય છે. તેના સફેદ રંગના કારણે આ ફૂલ ભગવાન ગણેશ માટે પણ અપ્રિય માનવામાં આવે છે અને આ ફૂલ પણ ભગવાન ગણેશને ન ચઢાવવું જોઈએ.


તુલસીનો છોડ

તુલસીને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં લોકો દેવી-દેવતાઓને તુલસી અર્પણ કરે છે. આપણી હિંદુ માન્યતાઓમાં તુલસીની પૂજા કરવામાં આવે છે અને તેના ઘણા ઔષધીય ફાયદા પણ છે. પરંતુ તમારે જાણવું જોઈએ કે ભગવાન ગણેશની પૂજા દરમિયાન તમારે ક્યારેય તુલસીના પાન ન  ચઢાવવાં જોઈએ. આ કારણે ભગવાન ગણેશ ક્રોધિત થઈ જાય છે અને પૂજા કરવાથી કોઈ ફળ મળતું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application