આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે, પરંતુ ભાગ-દોડની જીવનશૈલીમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ છે. ઘણીવાર યુવાનો વિચારે છે કે તેઓ જીમમાં જઈને જ પોતાને ફિટ રાખી શકે છે, જ્યારે એવું નથી. એવી ઘણી કસરતો છે જેને રોજિંદા જીવનમાં સામેલ કરવાથી શરીરની ઘણી સમસ્યાઓ દુર થાય છે.
સ્ટ્રેચિંગ ખાસ કરીને વર્કઆઉટ અથવા સ્પોર્ટ્સ પહેલાં અને પછી કરવામાં આવે છે. આમાં સ્નાયુઓને ખેંચવામાં આવે છે જેથી તેમની ગતિશીલતામાં વધારો થાય છે. સ્ટ્રેચિંગથી શરીરની ઘણી ગંભીર સમસ્યાઓથી રાહત મળી શકે છે.
સ્ટ્રેચિંગના ફાયદા :
શરીરની ફ્લેક્સીબીલીટી વધે છે:
નિયમિતપણે સ્ટ્રેચિંગ કરવામાં આવે તો, તો શરીરના સ્નાયુઓની ફ્લેક્સીબીલીટી નોંધપાત્ર થાય છે. ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. આનાથી માંસપેશીઓના દુખાવામાં પણ રાહત મળે છે.
રક્ત પરિભ્રમણ સુધરે છે:
નિયમિત સ્ટ્રેચિંગ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. યોગ્ય રક્ત પરિભ્રમણ સ્નાયુઓને વધુ ઓક્સિજન અને પોષક તત્વો પ્રદાન કરે છે. જે શરીરની ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.
તણાવને ઘટાડે છે:
દૈનિક સ્ટ્રેચિંગ માનસિક તણાવને ઘટાડી શકે છે. સ્ટ્રેચિંગ શારીરિક અને માનસિક રીતે આરામ કરવામાં મદદરૂપ છે. તેથી, દરરોજ સવારે અથવા સાંજે સ્ટ્રેચિંગ માટે અડધો કલાક ફાળવવો જોઈએ.
સારી ઊંઘમાં કરે છે મદદ :
યોગ્ય રીતે ઊંઘ ન આવે તો નિયમિતપણે સ્ટ્રેચિંગ કરવું જોઈએ. જો સૂતા પહેલા નિયમિત રીતે સ્ટ્રેચિંગ કરો છો, તો તે સ્નાયુઓની જકડાસને દૂર કરે છે. જેના કારણે ઊંઘ ખૂબ સારી આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech