પાણી એ જીવનનો આધાર છે. આપણા શરીરનો લગભગ 60% ભાગ પાણીથી બનેલો છે અને શરીરના વિવિધ અવયવોની સરળ કામગીરી માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન જરૂરી છે. સામાન્ય રીતે, એક વ્યક્તિને દિવસમાં 8-10 ગ્લાસ એટલે કે લગભગ 2-3 લિટર પાણી પીવાની ડોક્ટર સલાહ આપે છે. જો કે, પાણીની યોગ્ય માત્રા ઘણા પરિબળો પર આધારિત છે, જેમ કે વ્યક્તિની શારીરિક પ્રવૃત્તિ, ઉંમર, આબોહવા અને આરોગ્યની સ્થિતિ. તેમ છતાં દરેકના મનમાં એક પ્રશ્ન છે કે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ તે ઘણા લોકો માને છે તો દસથી અગિયાર ગ્લાસ પીવું યોગ્ય છે જ્યારે કેટલાક લોકો 5 થી 6 ગ્લાસ પીવા યોગ્ય માને છે.
પાણી શા માટે મહત્વનું છે? પાણી શા માટે મહત્વનું છે?
પાણી શરીરના દરેક અંગનું મહત્વપૂર્ણ કાર્યોમાં મદદ કરે છે:
શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે.
ચયાપચયની ક્રિયાને વધારે છે અને પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે.
ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે, ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે.
શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે, ખાસ કરીને કિડની દ્વારા.
સ્નાયુઓ અને સાંધાઓને લવચીક રાખે છે અને થાક ઘટાડવામાં મદદ કરે છે.
વિવિધ કાર્યો અનુસાર પાણીની જરૂરિયાત.
મજૂર અથવા રમતવીરો
મજુર અને રમતવીરો પરસેવાના સ્વરૂપમાં શરીર માંથી વધુ પાણી ઓછુ થાય છે, તેથી વધુ પાણીની જરૂર પડે છે. આ લોકો દિવસમાં 12-15 ગ્લાસ પાણી પીવું જોઈએ.
ઓફિસ વર્કર
ઓફિસ વર્કરની શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય છે, તેથી તેમની પાણીની જરૂરિયાત થોડી ઓછી હોય છે, પરંતુ તેમ છતાં શરીરના સામાન્ય કાર્યો યોગ્ય રીતે ચાલુ રહે તે માટે 8-10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.
જિમમાં જનારાઓ
જે લોકો દરરોજ વર્કઆઉટ કરે છે તેમને પણ વધુ પાણીની જરૂર પડે છે. વર્કઆઉટ દરમિયાન વધુ પડતો પરસેવો આવવાથી પાણીની ઉણપ થઈ શકે છે, તેથી તેમણે 10-12 ગ્લાસ પાણી પણ પીવું જોઈએ.
સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ
સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને સામાન્ય કરતાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેમણે દરરોજ ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ જેથી તેમના શરીરમાં પાણીની કમી ન રહે અને દૂધનું ઉત્પાદન યોગ્ય રીતે થઈ શકે.
ઋતુ પ્રમાણે પાણીની જરૂરિયાત
ઉનાળો
ઉનાળામાં વધારે પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. તેથી આ ઋતુમાં સામાન્ય કરતા વધારે પાણી પીવું જોઈએ. ઉનાળા દરમિયાન, 10-15 ગ્લાસ પાણીની જરૂર પડી શકે છે.
શિયાળો
શિયાળામાં આપણને પરસેવો થતો નથી, તેથી ઘણી વાર તરસ ઓછી લાગે છે. પરંતુ આનો અર્થ એ નથી કે શરીરને પાણીની જરૂરિયાત ઓછી છે. શિયાળામાં પણ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ, જેથી શરીર હાઈડ્રેટ રહે અને મેટાબોલિઝમ સામાન્ય રહે.
ચોમાસું
વરસાદની મોસમમાં વધુ ભેજને કારણે, પરસેવો ઓછો થાય છે, પરંતુ હવામાં ભેજ શરીરને ડીહાઇડ્રેટ કરી શકે છે. તેથી આ ઋતુમાં પણ 8-10 ગ્લાસ પાણી જરૂરી છે.
પાણી શરીર માટે અમૂલ્ય છે, અને યોગ્ય માત્રા વ્યક્તિની ઉંમર, પ્રવૃત્તિ સ્તર, આરોગ્ય અને મોસમના આધારે બદલાઈ શકે છે. શરીરને હાઇડ્રેટેડ રાખવું માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સંતુલન અને ઊર્જા માટે પણ જરૂરી છે. તેથી ખાતરી કરો કે તમે પર્યાપ્ત માત્રામાં પાણી પીઓ, પછી ભલે તમે કોઈપણ કાર્ય અથવા પરિસ્થિતિમાં હોવ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech