દરેક સ્ત્રી ઇચ્છે છે કે તેના વાળ કાળા, જાડા અને સ્વસ્થ હોય પરંતુ આજકાલ બગડતી જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો, પ્રદૂષણ અને ધૂળની અસર વાળ પર પણ જોવા મળી રહી છે. આ કારણે ઘણા લોકોને વાળ ખરવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પોતાના વાળને સ્વસ્થ અને મુલાયમ બનાવવા માટે તે ઘણા પ્રકારના ઘરેલું ઉપચારનો ઉપયોગ કરે છે.
વાળને સ્વસ્થ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘરેલું ઉપચારમાં દહીંનો પણ સમાવેશ થાય છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન અને ઘણા પોષક તત્વો હોય છે, જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો વાળ પર દહીંનો ઉપયોગ ઘણી રીતે કરે છે, મોટાભાગના લોકો દહીંનો હેર માસ્ક બનાવીને વાળ પર લગાવે છે. દહીંમાં ઘણા પોષક તત્વો હોય છે જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જોકે, વાળમાં દહીં લગાવવાના ફાયદાઓની સાથે કેટલાક ગેરફાયદા પણ હોય શકે છે.
વાળમાં દહીં લગાવવાના ફાયદા
તેમાં પ્રોબાયોટિક્સ અને લેક્ટિક એસિડ હોય છે જે વાળને નરમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તે વાળની ફ્રિઝીનેસ અને રફનેસ ઘટાડે છે, જે વાળને ચમક અને કોમળતા આપે છે. દહીંમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે, જે વાળને મજબૂત બનાવવામાં અને લાંબા થવામાં એટલે કે ગ્રોથ વધારવામાં મદદ કરે છે. તે વાળના મૂળને પોષણ આપે છે, જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દહીંમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો સ્કેલ્પમાં ઇન્ફેકશન અને ખંજવાળ ઘટાડવામાં મદદ કરે છે. તે સ્કેલ્પને સ્વચ્છ રાખે છે અને વાળ ખરવાની સમસ્યા ઘટાડવામાં પણ મદદ કરે છે. તે વાળને હાઇડ્રેટ કરે છે એટલું જ નહીં પણ સ્કેલ્પમાંથી વધારાનું તેલ ઘટાડવામાં પણ મદદ કરે છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ માથાની ચામડીમાંથી ખોડો ઘટાડવામાં મદદ કરે છે.
વાળમાં દહીં લગાવવાના ગેરફાયદા
જો વાળ પહેલાથી જ ખૂબ જ ઓઈલી છે તો દહીંનો ઉપયોગ વાળને વધુ તેલયુક્ત બનાવી શકે છે. વધારે તેલ વાળની સમસ્યાઓનું કારણ બની શકે છે. કેટલાક લોકોને દહીંથી એલર્જી હોય શકે છે, જેના કારણે સ્કેલ્પમાં ખંજવાળ, બળતરા અથવા લાલાશ થઈ શકે છે. જો પહેલી વાર દહીંનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને સ્કેલ્પ પર લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરો. વાળ પર દહીંનો વધુ પડતો ઉપયોગ વાળને નુકસાન પહોંચાડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech