શું બાળકને દૂધમાં ખાંડ નાખીને આપો છો?  નિષ્ણાતોએ ગણાવ્યા આટલા નુકસાન

  • September 11, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દૂધને બાળકો અને પુખ્ત વયના લોકો માટે પોષણનો ખજાનો ગણવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી સારી માત્રામાં જોવા મળે છે આ ઉપરાંત દૂધમાં વિટામિન બી12, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે પોષક તત્વો પણ હોય છે. માતાનું દૂધ બાળકોના પ્રથમ આહાર તરીકે આપવામાં આવે છે અને ધીમે ધીમે તેને ગાયના દૂધમાં બદલવામાં આવે છે. કારણકે બાળકના યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ માટે પોષક તત્વો ખૂબ જ મહત્વપૂર્ણ છે. દૂધ બાળકના હાડકાં, દાંત અને સ્નાયુઓને સ્વસ્થ રાખવા, ઉંચાઈ વધારવા વગેરેમાં મદદરૂપ છે પરંતુ મોટા ભાગના લોકો ખાંડ મિક્સ કરીને બાળકને આપે છે પરંતુ શું જાણો છો કે તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે.


પુખ્ત વયના લોકો પણ ઓછી માત્રામાં ખાંડનું સેવન કરવાની સલાહ આપે છે પરંતુ લોકો દૂધમાં ખાંડ ઉમેરીને નિયમિતપણે બાળકોને આપતા રહે છે અને નાના બાળકો દિવસમાં ઘણી વખત દૂધ પીવે છે. જેનાથી તેમના શરીરને નુકસાન થવાની સંભાવના રહે છે. જાણો આ વિશે આયુર્વેદ અને નેચરોપેથી નિષ્ણાતનું શું કહેવું છે.


દૂધમાં ખાંડ ઉમેરવાથી પોષણ મળતું નથી


એક્સપર્ટ કહે છે કે બાળકને દૂધ એટલા માટે આપવામાં આવે છે કે તેની શક્તિ વધે અને તે સ્વસ્થ રહે. કારણકે દૂધ પ્રોટીન અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ જ્યારે દૂધમાં ખાંડ ભેળવવામાં આવે છે  ત્યારે તેની પ્રતિક્રિયાના કારણે તે શરીરને નુકસાન થાય છે અને સંપૂર્ણ પ્રોટીન કે કેલ્શિયમ મળતું નથી. આ સિવાય પેટમાં કૃમિ વધી શકે છે, જેના કારણે બાળકનું પાચન બગડી શકે છે અને તેને વારંવાર લૂઝ મોશન થઈ શકે છે.


બાળકના મૂડમાં બદલાવ આવી શકે છે


દૂધમાં ખાંડ ઉમેરવાથી બાળકના શારીરિક સ્વાસ્થ્ય પર અસર થાય છે.  આ સિવાય દરરોજ દૂધમાં ખાંડ આપવાથી બાળકમાં થોડા સમય પછી હાયપરએક્ટિવિટી, ચીડિયાપણું અને રડવાની સમસ્યાઓ વધી શકે છે.


પેટમાં કૃમિ વધી શકે છે


બાળકોના પેટમાં કીડા વધવાની ફરિયાદો વારંવાર જોવા મળે છે. તેની પાછળનું કારણ ગંદા હાથ, પ્રદૂષિત પાણી વગેરે સિવાય ખાંડ પણ હોઈ શકે છે. બાળકને રોજ ખાંડ આપવાથી કૃમિની વૃદ્ધિ થાય છે અને તેના કારણે ગુદામાં પણ ફોલ્લીઓ થાય છે અને બાળક ખૂબ પરેશાન થઈ જાય છે. ડૉક્ટરનું કહેવું છે કે કૃત્રિમ વસ્તુઓ જેવી કે ડબ્બામાં બંધ દૂધ, અન્ય બેબી કેર પ્રોડક્ટ્સ અને ખાંડ વગેરે બાળકને ન આપવી જોઈએ અને ઓછામાં ઓછા બે વર્ષ સુધી બાળકને ખાંડ ન ખવડાવવી જોઈએ અને તેને કેક, પેસ્ટ્રી વગેરે જેવી વસ્તુઓથી દૂર રાખવું જોઈએ.


બાળકોને ખવડાવો આ ખોરાક


તંદુરસ્ત પોષણ આપવા માટે બાળકને રાંધેલી કુદરતી વસ્તુઓ જેમ કે ફળો, શાકભાજી, અનાજ વગેરે આપવાથી ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે ઘઉંને પલાળીને તેને અંકુરિત બનાવો, તેને સૂકવો, તેને હળવા તળીને પીસી લો. જ્યારે બાળક માટે કઠોળ, સોજી વગેરેમાંથી બનેલી વસ્તુ બનાવતા હોય ત્યારે તેમાં આ પાવડર મિક્સ કરીને બાળકને આપો તેનાથી બાળકને વધુ પોષણ મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application