કૃષિ વિભાગ દ્વારા વિવિધ પાકો સારી રીતે લઇ શકાય તે માટે નિરંતર માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જેમાં ઘાસચારાના પાકોમાં ખાસ કરીને કાતરા (હેરી કેટરપિલર) ના નુકશાનથી બચવાના ઉપાયો અંગે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતુ.
આ કામ જરૂર કરી લેજો
- ઉનાળામાં ઉંડી ખેડ કરવી તેમજ શેઢા-પાળા પરથી ઘાસ દૂર કરવું.
- પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી કૂદીઓને આકર્ષી નાશ કરવો.
- લીંબોળીના મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઇસી ૧૦ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- ઉભા પાકમાં કાતરાનું નુકસાન જોવા મળે તો ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ક્લોરપાયરીફોસ ૧.૫ ટકા ભુકી ૨૫ કિ.ગ્રા. /હે અથવા થાયોડીકાર્બ ૭૫% વેપા ૧૫ ગ્રામ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
- પ્રથમ વરસાદ બાદ ૮ થી ૧૦ દિવસે શેઢાપાળા ઉપર અથવા ઊભા પાકમાં કાતરાનુ - નુકસાન જોવા મળે તો કિવનાલફોસ ૧.૫ ટકા ભૂકી ૨૫ કિ.ગ્રા./હે. પ્રમાણે છંટકાવ કરવુ.
આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech