તમે ભગવાન છો કે નહીં તે જાતે નક્કી ન કરો, ભાગવત કોના માટે ટીપ્પણી કરી ?

  • September 06, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે શંકર દિનકર કાણેની શતાબ્દી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે, તે લોકો નક્કી કરે છે કે જે વ્યકિતએ તેમના કામમાં ઉત્કૃષ્ટ્ર દેખાવ કર્યેા હોય તેને ભગવાન માનવા કે નહિ, કોઈ વ્યકિત આ વાત જાતે નક્કી ન કરી શકે. શંકર દિનકરે ૧૯૭૧ સુધી મણિપુરમાં બાળકોના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કયુ અને વિધાર્થીઓને મહારાષ્ટ્ર્ર લાવ્યા અને તેમના રહેવાની વ્યવસ્થા કરી. ભાગવતે આ વાત કોને ઉદ્દેશીને કરી તે બાબતે ચર્ચા જાગી છે. અગાઉ પણ તેઓ આવો ઈશારો કરી ચુકયા છે અને ત્યારે તે ઈશારો વડાપ્રધાન તરફ હોવાનો આરોપ ઘણા લોકોએ લગાવ્યો હતો.
કાણેનાં કામને યાદ કરતાં ભાગવતે કહ્યું, આપણે આપણા જીવનમાં બને તેટલું સાં કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ એવું નથી કહેતું કે આપણે ન ચમકવું જોઈએ નહીં કે અલગ દેખાવું ન જોઈએ. દરેક વ્યકિત તેના કાર્ય દ્રારા આદરણીય વ્યકિત બની શકે છે. પરંતુ આપણે તે સ્તરે પહોંચ્યા છીએ કે નહીં તે અન્ય લોકો નક્કી કરશે, આપણે નહીં.
મણિપુરની સ્થિતિનો ઉલ્લેખ કરતા આરએસએસના વડાએ ચિંતા વ્યકત કરી હતી. ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંઘના સ્વયંસેવકોએ ન તો મણિપુર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application